SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ જાતિ: સુધી ગુરૂદેવપર થતે “પ્રશસ્યશગ” ત્યાગ નહીં “પ્રશસ્યરાગ” થી તે તીર્થંકર આદિ ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય છે અને ઉત્તરોત્તર “પરમાત્મપદ મેળવવામાં “કારણભૂત થાય છે. પ્રથ માવસ્થામાં તે” પ્રશસ્યરાગથી ધર્મમાર્ગમાં ચઢી શકાય છે. અપ્રશસ્યરાગ થતું હોય તે નિવારવા અહર્નિશ તીવ્રરાગ્યતઃ તથા વિવેકથી પ્રયત્ન કરે. વ્યવહારથી દેવગુરૂ અને ધર્મ ઉપર પ્રશસ્યરાગ ધારણ કરવાથી પરજડવસ્તુને રાગ સ્વયમેવ વિલય પામે છે. અનેક મહાત્માઓનાં જીવનચરિત્ર તપાસીએ છીએ ત્યારે એમજ માલુમ પડે છે કે અપ્રશસ્યરાગને પરિહરી પ્રશસ્યરાગ આદરી ઉરચ કેટી પર આવ્યા છે. સદ્દગુરૂના વચન પણ પ્રશસ્ય રાગવિના હદયમાં અસર કરી શકતાં નથી, પ્રથમાવસ્થામાં પ્રશસ્યરાગવિના ધર્મની પ્રવૃત્તિ થઈ શકતી નથી. પ્રત્યેક ધર્મક્રિયાઓ ઉપર રાગ થાય છે તે તે આદરી શકાય છે. પ્રશસ્યરાગથી તે સમ્યકત્વ અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પ્રશસ્યરાગથીજ ધર્મમાર્ગમાં જોડાવાનું થાય છે એમ અનુભવમાં આવે છે, પ્રશસ્યરાગ રાગ ધારણ કરવાની બુદ્ધિ તમારી નહિ હશે તો પણ ગુણસ્થાનકની સ્થિતિ પ્રમાણે કારણ પામી પ્રશસ્યરાગ થવાને જ. પ્રશસ્યરાગને પણ ધ્યાનાદિકથી નાશ થાય છે પણ સમજવાનું કે જ્યારે આત્માના પ્રદેશમાં ઉતરવાનું થયું હોય ત્યારે તે સમયે પ્રશસ્યરાગનું પણ જેર નથી. પણ યદા મન બહિર્મુખતાને ભજે તદા પ્રશસ્યરાગનાં કારણ છે તે અપ્રશસ્યાગ કરતાં અનંતગુણે દરજે આદરવા લાયક છે, દયાનદશાથી ઉતરતાં પ્રશસ્ય રાગ, અવલંબનભૂત થાય છે, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે રાગ કરે તે કઈ પણ પ્રકારે હિતકર નથી. પણ રાગ વિના ન રહેવાય તે નિગ્રંથ મુનિથી રાગ કરતાં ધર્મરાગ પ્રગટે છે, અને અંતે આત્મા વીતરાગદશાને પ્રાપ્ત કરે છે. ત્યારે સર્ણરૂઆદિ ઉપર રાગ થાય છે ત્યારે અવબોધાય છે કે હવે રાગને નાશ થવાને જ. શ્રી મહાવીરસ્વામી ઉપર ગત For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy