SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિ: ૩૮૭ પહોંચ્યા. કેટલાક પન્નર, કેટલાક વશ, કેટલાક પચ્ચાશ, કેટલાક શત ગાઉ, કેટલાક બસે ગાઉ, પાંચસે ગાશે, એમ સિદ્ધાચલથી દૂર ચાલતાં ચાલતાં આવી પહોંચ્યા. આ દષ્ટાંતમાં કેટલાક સિદ્વાચલથી પાંચસે ગાઉ દૂર છે. કેટલાક બસે, સે, પશ્ચાશ ગાઉ દર છે. કેટલાક સિદ્ધાચલની નજીક (આસન) આવી પહોંચ્યા. તેમાં દૂર અને આસન ભેદ કંઈ યાત્રાળુપણાને દૂર કરતો નથી. તેમ પરમાત્મરૂપતીર્થની પાસે કેટલાક આત્માઓ આવ્યા છે. કેટલાક દૂર છે, કેટલાક અતિદૂર છે, પણ સર્વ તે પરમાત્મ તીર્થના સેવક છે. આ બે દષ્ટાંતથી સર્વ મુમુક્ષુઓ પરમાત્માના સેવકે છે, એમ સિદ્ધ થાય છે, પદર્શનમાં પણ દૂરાસન્નભેદો સાપેક્ષાથી જોતાં માલુમ પડે છે, પ્રથમ ગુણ સ્થાનકમાં રહેલા મુમુક્ષુઓ પરમાત્માના સેવક છે, પણ તે અતિક્રવર્તિ છે, તે પ્રમાણે ચતુર્થ, પંચમ, સપ્તમ, આદિ ઉત્તરોત્તર આસન્ન સેવ કતાને ભજનાર ગુણસ્થાનકસ્થ મનુષ્ય જાણવા. અપકાલમાં જે જી મુક્તિ પામનાર છે તે આસન્ન ભવ્ય જાણવા. ઘણું કાલે જે જ મુકિત પામશે તે દર્ભવ્ય જાણવા, સમ્યકત્વ પામવાથી પરમાત્માને ખરેખર સેવક આત્મા થાય છે. એક નગરમાં જવાને માટે અનેક આસા વા દૂર માર્ગ હોય પણ તે નગરના જ માર્ગ છે. દૂર હોવાથી કંઈ માર્ગવ નાશ પામતું નથી. તેમ ગમે તે યોગના પ્રકારથી મુમુક્ષુઓ પરમાત્માની સેવા કરી પરમાત્માપણું પ્રાપ્ત કરે તેમાં બાહ્યદષ્ટિ ધારણ કરી અહેમમત્વેગે લડાલડી કરવી એગ્ય નથી. આ સિદ્ધાંતવાણીરૂપ તલ અનુભવરૂપી ઘાણીમાં પલાશે ત્યારે તેમાંથી સુખરૂપ તેલ નીકળશે, ખેળને તે અજ્ઞ હેર ખાય છે, સાપેક્ષ તત્વ વાણું, એક મુક્તિરૂપ વેશ્યાના સંદેશા છે. જે સમજવામાં આવે તે સંદેશા છે નહિંતે શંકાઓ છે, તે સંબંધી કહ્યું છે કે. पाणी घाणीमांहि पीलाशे, खोळ तेनो ढोर खाशेरे म्हारा. For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy