SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિઃ ૩૩૩ વિનય ભક્તિથી વંદન કરવું. દીવસ સંબંધી આ પ્રમાણે વિચારકૃત્ય કર્યા બાદ રાત્રી સંબંધી મન વચન કાયાના એગનું પરિણામ પણ પ્રાતઃકાલમાં સ્મરણ કરી જવું, દિવસની પેઠે રાત્રીના કૃત્યેની શ્રેણિપર પણ આ પ્રમાણે વિચાર કરે. સત્વસ્યવિ રાઈએ દુચિંતિએ દુભાસિઅ દુચિઠીએ તા મિચ્છામિ દુકકડ” આ સૂત્રપર રાત્રી સંબંધી કૃત્યને પ્રાતઃકાળમાં સ્મરણ કરી પશ્ચાતાપ કરે. ભવિષ્યકાલમાં મન વચન કાયાના યુગનું અશુભ પરિણમન ન થાય તે માટે દઢ સંકલ્પ કરે. આ કિયાની આગળ વા પાછળ દેવગુરૂને પ્રીતિ ભક્તિ પૂર્વક વદન કરવું. દીવસમાં અને રાત્રીમાં જે જે કૃત્ય અનેકવા કરવામાં આવે તે સમયે ઉપરના દે ન થાય તે માટે લક્ષ્ય આપવું. આત્મશક્તિ ઉત્સાહથી ભવિષ્યના જીવનને આનંદમય બનાવવું. આત્માની ઉસ્થિતિ ભાવવી. મારાથી પરને આજ શો ઉપકાર થયે. સન્તસમાગમ વિશેષતઃ થયે કે કેમ? ગયા દીવસ કરતાં આજ તત્ત્વજ્ઞાન વિશેષ શું મેં મેળવ્યું? મારાથી ઉત્સાહ વડે સર્વધર્મકાર્ય થઇ શકે છે કે કેમ? આત્માની કઈ કઈ શક્તિના અભ્યાસમાં છું. અને કઈ કઈ શક્તિના અભ્યાસમાં નથી ! દુનિયા મારા વિષે ગમે તેમ કહે છે. છતાં હું પિતાનું જીવન આનંદમય અને જ્ઞાનમય બનાવું છું કે કેમ? મારા પાસેના સંબંધી તથા દૂરના સંબંધી તથા દુનિયામાં રહેલા પ્રત્યેક જીવનું ભલું આજ મારાથી કોઈ પણ રીતે થયું કે કેમ? કઈ પણ આજીવિકાની પ્રવૃત્તિમાં મેં ન્યાય બુદ્ધિથી પ્રવૃત્તિ કરી છે કે કેમ? તેને સ્થિરપગથી વિચાર કરવો. પશ્ચાતું ભવિષ્યમાં આચાર વિચાર અને આનંદમય જીવન ખીલતું જય તે માટે વિયેત્સાહથી દઢસંક૯પ કરે. હે ભવ્ય ! માણેકલાલ આ પ્રમાણે પ્રતિદિન પ્રાતઃકાલ અને સંધ્યાકાલમાં આત્મીયકૃત્ય વિચારી જવું. આ પ્રમાણે વૃત્તિ કરવાથી પ્રતિદિન હારૂ જીવન અનેક સગુણથી ખીલી નીકળશે. For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy