SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિઃ દુર્ભષણમાં સાર નીકળે? સ્વપરનું તેમાં કેવું અહિત થયું? તે સંબંધી એકેક વાક્યપર બુદ્ધિ પ્રમાણે વિચાર કરે. પશ્ચાત્ પશ્ચાતાપ કરે. આજના દીવસમાં ઠેષ સંબંધી પ્રસંગે પામીને જે જે દુભાષણ કર્યું હોય તેને પશ્ચાતાપ કરે. આજના દિવસમાં પ્રાતઃકાળથી આરંભીને સૂર્યાસ્ત સમય પર્યત જે જે ધના પ્રસંગને લે દુષણ થયું હોય તેને વિચાર કરે. કોની કેની સાથે ધનાં વચન બોલાયાં. શું પરિણામ આવ્યું. તે પ્રસંગે વાસયમ કેમ ન કર્યો? કાલ કરતાં આજ દુર્ભષણ વિશેષ થયું કે અ૫ થયું? દુર્ભષણ પશ્ચાત્ કેમ વિચાર સારો આવ્યું હતું કે નહિ? દુર્ભષણનું પરિણામ પિતાને તથા પરને શું થયું. ઈત્યાદિ વાક્યો ઉપર યથાબુદ્ધિ પૂર્ણ વિચાર કરે. પશ્ચાત્ તે સંબંધી ભવિષ્યમાં દુર્ભષણ ન થાય એવો દઢ સંકલ્પ કરે, થએલા. દુષણ માટે પશ્ચાતાપ કરી જ. હું દુષણ વારી શકું એવું મારામાં આત્મસામર્થ્ય છે એમ દઢ વિચાર કરે. આજના દીવસમાં પ્રાતઃકાલથી આરંભીને સૂર્યાસ્ત સમય પર્યત માનના પ્રસંગથી જે જે સમયે દુર્ભષણ થયું હોય તેનું સ્થિર ચિત્તથી સ્મરણ કરવું. કેની કોની સાથે અભિમાનનાં વચન બેલાયાં, લખાયાં, તેમાં શું પરિણામ આવ્યું. તે પ્રસંગે વાસંયમ કેમ ન થઈ શકે? કાલ કરતાં આજ દુભાષણ વિશેષ થયું કે અ૫ થયું? દુર્ભષણ કરતાં સારા વિચાર આવ્યા હતા કે નહિ. તે પ્રસંગે નઠારા વિચારોની સામે શુભ વિચારેનું જોર કેમ ચાલ્યું નહિ. દુર્ભષણનું પરિણામ પિતાને તથા પરને શું થયું. ઈત્યાદિ વાક્ય ઉપર યથાબુદ્ધિ પૂર્ણ વિચાર કરી જ. પશ્ચાત તે સંબધી ભવિષ્યમાં દુર્ભાષણ ન થાય એ દઢ સંકલ્પ કર. થએલા દુર્ભાષણ માટે પશ્ચાતાપ કરી જ. હું દુર્ભાષણ વારી શકું એવું મારામાં અપૂર્વ સામર્થ્ય છે તેને ખીલવી શકું. આજના દીવસમાં પ્રાતઃકાલથી આરંભીને સૂર્યાસ્ત સમય For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy