SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ શ્રી પરમાત્મ તિ: મેહનીયરૂપ મહના દ્ધા ( લડવૈયા છે.) ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં એવા મુનિરાજોને પણ એ ચદ્ધા પાડી નાખે છે. પરંતુ છે પરમાત્મા મલ્લિનાથ સ્વામિન્ ! તમે જ્યારે વીતરાગ પરિણતિમાં પરિણમ્યા ત્યારે તેમણે વિચાર કર્યો કે અમારાથી વિરોધી વીત રાગ દશા આવી માટે હવે રહેવાય જ નહીં એ જાણે વિચાર જ કર્યો ન હોય એમ ચારિત્ર મેહનીયના દ્ધ તમારા આત્મ પ્રદેશમાંથી ક્ષાયિકભાવે દૂર ખસી ગયા. આજ હેતુથી હે ભગવન તું જગત્માં મહાદેવ કહેવાય છે. રાગદ્વેષને નાશ કરનાર હે ભગવન્ તમારું પૂજ્યપણું ત્રણ જગમાં હોય તેમાં શું આશ્ચર્ય ! રાગદ્વેષ હઠાવવાનું આત્મ સામર્થ્ય જોઈ ચોસઠ ઈન્દ્ર પણ તમારી પૂજા સેવા કરે તેમાં શું આશ્ચર્ય ! હે ભગવન્ તમારી વીતરાગ દશાને ધન્ય છે હું પણ તેવી ઈરછું છું. વેદના ઉદયરૂપ વિપાકને પણ ભગવાને નાશ કર્યો તે રસ્તુતિ દ્વારા જણાવે છે. वेदोदय कामा परिणामा, काम्यक रस सहु त्यागी नि:कामी करुणारस सागर, अनंत चतुष्क पर पागीहो मल्लि. ७ - સ્ત્રી વેદ, પુરૂષ વેદ, નપુંસક વેટ આ ત્રણ વેદ કહેવાય છે. વેદોદય કામ પરિણામથી જે કામ્ય કરસ ભેગવાય છે તેના હે ભગવન તમે ત્યાગી છે. ક્ષેપક શ્રેણિએ ચઢીને ત્રણ વેદને પણ હે ભગવન તમોએ નાશ કર્યો છે. તેથી તમે કામ માત્રના ત્યાગી છે. કઈ પણ પદાર્થની કામના રહી નથી, માટે હે ભગવન તમે કરૂણારસના સમુદ્ર છે. અનંતજ્ઞાન, અનંતદશન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, આ ચતુષ્કમાં સમયે સમયે લીન છો. આપશ્રીની અપૂર્વ ધર્મ લક્ષ્મી પ્રગટેલી જાણે હું પણ આત્મસ્વભાવમાં શુપયેગીપણે રમવા તલ્લીન થાઉં છું આપે જે જે ગુણે ઉત્પન્ન કર્યા તે તે સદ્ગુણે પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરૂ છું ભગવાને અંતરાય કર્મને નાશ કર્યો તે જણાવે છે. For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy