SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ શ્રી પરમાત્મ જ્યોતિઃ ભુવનને સ્વામી એ આત્મા તેને પરમાત્માસ્વરૂપ દેખે આત્માને મહિમા મેરૂપર્વત કરતાં પણ મટે છે. આત્મારૂપ પરમેશ્વરની શક્તિ સહજ છે. આત્મારૂપ પરમેશ્વર દેહમાં વ્યાપી રહ્યા છે. એમ સાક્ષાત્ અનુભવ થતાં આનંદને પાર રહેતું નથી તીર્થનું તીર્થ એવો આત્મારૂપ પરમેશ્વર શરીરથી દૂર નથી, ત્યારે કયાં જવું કયાં ફરવું. અર્થાત્ શાંત થવું એમ નિશ્ચય થાય છે. જેણે પિતાના આત્માને પરમાત્મરૂપ દેખે તેને મહિમા મેરૂસમાન છે. આત્મા તે પરમેશ્વરરૂપ છે. એમ નિશ્ચય થયા પછી આત્મજ્ઞાનીના મનમાં આ વિચાર આવે છે તે કહે છે. दोडत दोडत दोडत दोडियो, जेती मननीरे दोट. प्रेम प्रतीत विचारो दूकडी, गुरुगम लेजोरे जोड. जिनेश्वर, ४ ભાવાર્ય–જેટલી મનમાં દેડવાની શક્તિ હતી તેટલું હું બાહ્યદશામાં દે. પુદ્ગલ દ્રવ્યમાં મેં આત્માને શે. પરંતુ આત્માનું દર્શન બાદશામાં થયું નહિ. જ્યારે ગુરૂગમ લેવામાં આવે અને પ્રેમ ભક્તિથી આત્માને શોધવામાં આવે તે આત્માને સાક્ષાત્ અનુભવ થાય, પ્રેમવિના આત્મપ્રભુ મળતા નથી. ગુરૂ ગમ વિના આત્મારૂપ પ્રભુની શોધ કરવાને ઉપાય સુઝતું નથી. જે તરફને પ્રેમ હોય છે. તે વસ્તુને મેળવી શ કાય છે. જડવતુના પ્રેમથી જડવસ્તુ મેળવી શકાય છે. તેમજ આત્મરૂપપ્રભુ ઉપર પ્રેમ થયા વિના બાહ્યવસ્તુને પ્રેમ છૂટતો નથી. જે મનુષ્યને આત્મા ઉપર પ્રેમ નથી. તે આત્મપ્રભુને પ્રાપ્ત કરવા ઉદ્યમ કરતો નથી. પ્રેમથી ઈચ્છિત વરતુમાં ચિત્તની તન્મયતા થાય છે. આત્મા ઉપર પ્રેમ લાગતાં આત્મપ્રભુની સાથે ચિત્તની એકતા થાય છે. તેથી આત્મપ્રભુને પ્રાપ્ત કરવામાં અન્ય નેક ઉપસર્ગી થાય તે પણ તે સહન કરી શકાય છે. પ્રથમાવરથામાં પ્રેમની ઘણું જરૂર છે. પ્રેમલક્ષણ ભક્તિનું ઉત્કૃષ્ટ સામ, ચ્ચે એવું છે કે તેથી For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy