SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ જ્યોતિ: નથી અને લક્ષ્મી પણ અન્યને ભગવે છે. પુત્રવિના પિતાની સદ્ગતિ થતી નથી એમ પણ કેટલાક લેકે કહે છે તેથી મનમાં વિચાર થાય છે કે મારું શું થશે, જ્યારે ઉંઘું છું ત્યારે મને આ સર્વ હકીકત સાંભળી આવે છે ત્યારે વિકાસંકલ્પમાં પડું છું. પુત્રનું મુખ દેખવાથી મહાનંદ દેખાય છે તે મારા ઘરમાં નથી, હે સરૂ, મને એવું જ્ઞાન આપો કે જેથી મારા મનમાં થતા વિક૬૫સંકલપ નાશ પામે. શ્રી સશુરૂ કહે છે કે હે ભવ્ય મહાસુખ, આત્મજ્ઞાન થયા વિના વાસનાને ક્ષય થતું નથી, કઈ પણ મનુષ્ય પુત્રપુત્રીઓથી સુખી થઈ શકતું નથી. પુત્રથી આત્મા કંઈ સદ્ગતિ પામી શકતો નથી. અનેક બ્રહ્મચારિપુરૂષે પુત્રવિના સદ્દગતિને પામ્યા, પામે છે અને પામશે, જ્ઞાનરૂપ પુત્ર નથી તેનું આત્મારૂપ ઘર શોભી શકતું નથી. હે ભવ્ય, પુત્રપુત્રીઓ આત્માથી ભિન્ન છે. ભિન્ન વસ્તુથી આત્મસુખ જરા માત્ર પણ થઈ શકતું નથી. ભંડણને ઘણું બચ્ચાં હોય છે પણ તેથી તે સુખી થઈ શકતી નથી, પુત્રની આશાથી આત્મહિત થઈ શકતું નથી. પુત્ર કદાપિ ખરાબ પાકે છે તે ઉલ૮ મહાદુઃખ થાય છે. જે લેકેને પુત્ર છે તેમને પુત્રથી શાંતિ થઈ જણાતી નથી, પુત્રપુત્રીઓ પોતાના આત્માને તારવા શક્તિમાન નથી. મૃત્યુ પાછળ પુત્રપુત્રીએ સાથે આવતાં નથી. પુત્ર હોય અગર ન હોય તે પણ આત્મજ્ઞાની સમભાવે રહે છે, પિતાની રૂદ્ધિને અન્ય ખાય માટે પુત્રની જરૂર છે એ પણ દલીલ મજબુત નથી, પિતાના પહેલાં કેટલાક પુત્ર મરી જાય છે, વંશ ચલાવે પિતાના હાથમાં નથી, પિતા મરી ગયે અને પુત્રથી વંશ રહે કિંતુ પિતા તે અન્ય ગતિમાં ગયે તેથી વંશ ચાલે તે પણ તેને તે લાભ નથી, પુત્ર પિતાને અન્ય ગતિમાં હાય કરવા શક્તિમાન થતું નથી. જે જીવે જેવાં કર્મ કર્યા હોય છે તેવાં તે ભગવે છે, અન્ય ગતિમાં ગએલા પિતાને કમના અચલ નિયમથી પુત્ર સહાય ૩s For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy