SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિ: ૨૦૧ જીવન કલેવરો હોય છે. માટે આત્મનદીમાં ચેગિ મુનિવરો સ્નાન કરે છે એમ કૃષ્ણ અર્જુનને કહે છે. પણ આ બધ “બહુશુચિ ” જાણતો નહે. બહુશુચિ” બ્રાહ્મણના ઘેર “વિવેકા” નામની ભંગીયે ઝાડુ કાઢવા આવતી હતી. બ્રાહ્મણની એક તરફની પવિત્રતા અને એક તરફ કે આમ પરસ્પર વિરૂદ્ધ વર્તન જોઈ તે મનમાં દિલગીર થતી હતી. અને વિચારતી કે, અહો આ બ્રાહ્મણ બ્રહ્મને જાણ નથી. યજ્ઞકર્મના અગ્નિની પેઠે તેના હદયમાં ધરૂપી અગ્નિ દયા, ક્ષમાદિ ગુણોને બાળી ભસ્મ કરે છે. અહે તે ક્યારે સુધરશે. એક દીવસ આ ચંડાલણ ઝાડુ વાળતી હતી. તેવામાં બ્રાહ્મણને કઈ વાંક આવવાથી “બહુશુચિ ” બ્રાહ્મણ, બ્રાહ્મણીના કેશને એટલે પકડી પાટુથી મારવા લાગ્યા. અને મુખથી “શિવ, શિવ” બોલતા હતે. ચંડાલીના મનમાં સંકલ્પ થયે કે ગમે તે રીતે પણ આ બહુચિ બ્રાહ્મને હું સુધારૂ તે મારૂ વિવેકા નામ ખરૂ કહેવાય. “બહુશુચિ પુરોહિત” જલ, ચંદન, પુષ્પ, ધૂપ, વિગેરે પૂજાપ લેઈ ગામની બહાર એક શિવાલયમાં પૂજા કરવા માટે ઘરમાથી નીકળે વિવેકા ચંડાલ માર્ગમાં બહુશુચિ બ્રાહ્મણની પાસે પાસે ચાલવા લાગી. ચંડાલણીના આવા કૃત્યથી આ બ્રાહ્મણને બહુ ગુસ્સો ચઢ અને ધના આવેશથી કહેવા લાગ્યો કે, અરે રાંડ દુષ્ટા, કમજાત જરાપણ નથી દેખાતી. આંખે આંધળી થઈ છે કે શું. જેમ આ બ્રાહ્મણ ગાળેની વૃષ્ટિ કરવા લાગ્યા તેમ તેમ ચંડાલણી પણ ઠેઠ નજીક આવવા લાગી. બ્રાહ્મણે ઘણા ગુસાથી એક ઇંટ એવી તે મારી કે તેના મરતકમાંથી રૂધિરની ધાર નીકળવા લાગી. ચંડાલણીએ ઉછળી બ્રાહ્મણને હાથ પકડ. બ્રાહ્મણે ચંડાલણને ખૂબ મારી તે પણ મડામૂઠની પેઠે તેને હસ્ત છેડે નહિ. એવામાં ચાટાના હજારો લોકે ભેગા થયા. બ્રાહ્મણ, વણિક, સોની, સુતાર, પાટીદાર, કંસારા વિગેરેની જેવા ઠઠ જામી, આથી બ્રાહ્મણ લાલચળ બની ગયે. અને ચંડાલણીને For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy