SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ નિ: સમાધિ વરવી. જે જે ક્ષણે આત્માના સ્વરૂપમાં લયલીન થવાય છે તે તે ક્ષણે અનંત સુખ ગુણને કંઈક જ્ઞાનિ પુરૂષને અનુભવ થાય છે. સર્વ જડવતુથી ભિન્ન આત્મતત્તવને જ્ઞાન થકી જાણે છે અને તેની શ્રદ્ધા કરે છે તેને “સમ્યક્ત્વ” પ્રગટે છે. અને તેને ચારિત્ર પ્રગટે છે. અનંત શક્તિને સ્વામી આત્મા વાચક તથા લેખકના શરીરમાં વિરાજે છે. શોભે છે. માટે બાહ્યમાં કંઈ આત્માનું નથી એમ પૂર્ણ નિશ્ચય કરી અન્તરમાં ઉતરી આત્મ વરૂપને વિચાર કરે. આત્મામાં અનંત લક્ષમી છે, આત્માની સત્ય લક્ષ્મી પોતાનામાં છે. वाहिर भटके जीवडा शुं करीले घटमां खोजरे, रत्न अमूल्य मांहि भरियां, देखंतां सुख मोजरे. भजन. अलख अरूपी आतमानी, झळके रूडी ज्योतरे; ज्ञान गुण ते जीवनो छे, करे सपर उद्योतरे. भजन. २ આત્માની અનંતિ રૂદ્ધિ આત્મામાં જ છે. માટે અરનાથ પરમાત્માએ પણ પોતાનામાંથી જ અનંત લક્ષમી સાદિ અનંતમા ભાંગે ઉત્પન્ન કરી છે. એવી રૂદ્ધિ આ દેહમાં રહેલા આત્મામાં છે, આત્મા પરમાત્મા થાય તેવી પ્રીતિ આત્મા ધારણ કરે તે પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરે તે સંબંધી કહે છે. ૮ ભગવાન શુદ્ધસ્વરૂપી છે, અને નિશ્ચયથી હું પણ શુદ્ધ સ્વરૂપી છું. પરંતુ પરમાત્મા નિરાગી છે અને હું તે રાગી છું. માટે નિરાગીની સાથે મારાથી શી રીતે પ્રીતિ થાય? પણ આ પના ઉપર થતી એવી પ્રીતિ અનેક સગુણોને પ્રગટાવે છે. મારી તમારા ઉપર પ્રીતડી છે, તે એક પખી છે. તે પણ આપના ઉપર કરેલી પ્રીતિથી આપના અનંત ગુણોને પ્રાપ્ત કરવા રૂચિ થાય છે, આપના સમાન મારૂ સ્વરૂપ છે તેને પ્રગટાવવા રૂચિ થાય છે, આપના ઉપર થએલી પ્રીતિથી જગમાં રહેલા જડ પદાર્થો ઉપર જે પ્રીતિ પ્રથમ હતી તેને નાશ થાય છે, આપના ૨૧ For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy