SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિઃ ૧૪૯ સ્વવશપણું પ્રાપ્ત કરવું. જ્ઞાનમગ્નગિને જે સુખ ઉત્પન્ન થાય છે. તે વૈખરી વાણીથી કહેવાને કઈ શકિતમાનું થતું નથી. પ્રિયાના આશ્લેષ તથા તચંદન ઢથી પણ તે આત્મસુખ ઉપમેય નથી. આત્મજ્ઞાની શુદ્ધાપગને લક્ષી પ્રવૃત્તિ કરે છે. સવિ કલ્પ સમાધિથી નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ કરે છે તે સંબંધી કહે છે તા. शुभोपयोग रूपोऽयं समाधिः सविकल्पकः शुद्धोपयोगरूपस्तु निर्विकल्प स्तदेकहा ॥ १ ॥ आद्यः सालमानो नाम, योगोऽनालम्बनः परः છાપાયા નામાવે, મુશિકિતનિમઃ || ૨ |. શુભેપગરૂપ સમાધિને શાસ્ત્રકાર સવિકલ્પ સમાધિ કહે છે. અશુભ ઉપગને નાશ થતાં શુભપગ પ્રગટે છે. શુભ વસ્તુ સંબંધી જે ઉપગ તેને શુભેપગ કહે છે. શુભ વિચારવાળાને શુભેપગ હોય છે. પરવસ્તુના આલંબનથી મનમાં શુભપગ પ્રગટે છે. શુભપગ સમાધિ કરતાં નિર્વિકલ્પ સમાધિ અનંતગણું મોટી છે. પ્રથમ દરેક જીવને શુભગ સમાધિની પ્રાપ્તિ થાય છે. પશ્ચાત્ આત્મજ્ઞાનની પવદશાથી શુદ્ધ પગ સમાધિની પ્રાપ્તિ થાય છે. શુધ્ધ પગ સમાધિથી આત્માના અનંત. સુખને સાક્ષાત્ અનુભવ આવે છે. શુભપયોગ સાલંબન એગ છે. શુપયે નિરાલંબન સમાધિ છે. નિરાલંબન સમાધિની ખુમારીને જેણે અનુભવ કર્યો છે તેનું મન બાહ્ય પદાર્થોથી આકર્ષતું નથી. આત્માના ગુણ પર્યાયનું સ્વરૂપ વિચારતાં ચિત્તવૃત્તિને સ્વ સ્વરૂપમાં લય થાય છે. તે વખતે ધ્યાતા ધ્યેય અને યાયની ઐકયતા થાય છે ત્યારે પરવસ્તુના આલંબન વિનાની આત્મદ્રવ્યનાજ આલંબનવાળી સવિકલ્પ સમાધિ અનુત્તર શાશ્વત સુખને અનુભવ કરાવે છે. ત્યારે સિદ્ધનાં સુખનું તે શું કહેવું? સ્વદ્રવ્યના ગુણપર્યાયની વિચારણાના પ્રવાહમાં એકસરખી રમણતા થતાં નિર્વિકપ દશા For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy