SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિ: ૧૧. આત્માની સાથે કર્મ લાગ્યું છે. તેથી આત્મા કર્મની સાથે પરિ. ણમવાથી અશુદ્ધ સ્વભાવને ક ભક્તા બન્યા છે. પણ સમજવાનું કે અશુદ્ધતા છે તે આત્માને મૂળ ધર્મ નથી. યુગલ ગે અશુદ્ધતા કહેવાય છે. પણ કર્મસંગ છૂટતાં કર્મની અશુદ્ધતા ટળે છે. તેથી આત્માનું મૂળ પરમબ્રહ્મ સ્વરૂપ પ્રકાશે છે. ત્યારે અશુદ્ધતાને અનાદિ અનંતમા ભાગે નાશ થયો કહેવાય છે. અને શુદ્ધતાના ચોગે આત્માને આનંદગુણ ખીલી શકતું નથી. કંચન અને કામિની વિગેરે મોહક વસ્તુઓને ત્યાગ કર્યા વિના સ્થિરતા આવતી નથી. જ્યાં સુધી કંચન અને કામિનીની ખટપટમાં ચિત્ત રહ્યા કરે છે ત્યાં સુધી ઉપાધિવાળો આત્મા ગણાય છે, માટે સાધુના પંચમહાવ્રત અંગીકાર કરવો જોઈએ. સાધુનાં પંચમહાવ્રત અંગીકાર કરવાથી બાહ્યપાધિને ત્યાગ થાય છે. માટે શ્રી સશુરૂ પાસે પંચમહાગ્રત અંગીકાર કરવો જોઈએ. પ્રશ્ન–હે શ્રી સદ્દગુરૂ મહારાજ આપ કૃપા કરીને પ્રકાશશે કે-ગુરૂનું શું લક્ષણ છે; શ્રી સદ્ગુરૂ–જેનાગમમાં પંચમહાવ્રતને જે ભવ્ય ગુરૂ પરંપરા પૂર્વક સલ્લુરૂ પાસેથી ઉચ્ચરે છે. અને રજોહરણ મુખવસ્ત્રિકા ધારણ કરી વ્યવહારનય અને નિશ્ચયનયાનુસારે વર્તે છે. તે શ્રી સદ્ગુરૂ જાણવા. પ્રશ્ન–પંચમહાવ્રતધારી શ્રી સદગુરૂ હોય એવું કયા જૈન સૂત્રમાં કહ્યું છે. શ્રી સદ્ગુરૂ–આવશ્યક સૂત્રમાં એમ કહ્યું છે, જુઓ “આ વશ્યક સૂત્રમાં મૂળપાઠ ” पंचिंदिअ संवरणो, तहनवविह बंभचेरगुत्तिधरो, चउबिह कसायमुक्को, पंचविहायार पालण समथ्थो, पंच समिओ तिगुत्तो छत्तीसगुणो गुरुमझ ॥ પ્રશ્ન–શ્રી મુનિરાજ સદૂગુરૂ છે એવું બીજા સૂત્રમાં કહ્યું છે. For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy