SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ મિત્રમૈત્રી. -~~ ~-~~- ~માન સન્માનની, પૂજાની કામના રાખવી નહીં, તેમજ કઈ વખત કેઈકારણે મિત્ર તરફથી અપમાન થાય તે પણ સુજન મિત્ર મનમાં કંઈ ઓછું લાવતું નથી. કારણ કે તે મિત્રને સ્વાત્માવત્ ગણે છે. મિત્રો તે અનેક પ્રકારે મદદ કરનાર સુજન મિત્ર છે. મરાઠા શાહુ છત્રપતિને તેના મુસલમાન મિત્રે પ્રાણ રક્ષાદિ અનેક ગુપ્ત સહાય કરી હતી. સત્ય મિત્ર સ્વરૂપ, કપકે હેણુને અહે, લહે ને મનમાં બેદ, મિત્રોનતિમાં રાચતે, કરે ન કયારે ભેદ. ૧૦૫ વિવેચન –સત્યમિત્રનું લક્ષણ જણાવે છે. મિત્રના ઠપકાએ અને મહેણાઓને જે સહન કરે છે તે પણ જે મનમાં ભેદ પામતે નથી, અને ઉલટે ઠપકાં મહેણુઓને સમ્યફ સાર ગ્રહણ કરે છે, તથા જે મિત્રની ઉન્નતિમાં રાચે છે અને કયારે ભેદભાવ કરતું નથી, તે સત્ય મિત્ર જાણ. મિત્રની સર્વ પ્રકારની શુભેનતિમાં જે રાચે છે એટલુજ નહિ પણ જે મિત્રોન્નતિના સર્વોપામાં સર્વ પ્રકારે જે સ્વકર્મ કર્તવ્યને કરે છે, તે સત્ય મિત્ર છે. મિત્ર સંબંધમાં જે આત્મ નાશ થતાં પણ બા વાસનાઓના વ્યવહારથી ભેદ કરતો નથી તે સત્ય મિત્ર છે. ધન, સત્ત, સ્વાર્થ, કાતિ, માન, પિષણત વગેરેથી પરસ્પર મિત્રોમાં ભેદ થાય છે પરંતુ જે ઉપર્યુક્ત કારણથી પણ મિત્રામાં ભેદ કરતું નથી તે સત્ય મિત્ર છે. ખરેખર યાદ રાખવું જોઇએ એ કે – By Rersisting in your path though you for feit the little you gain the great. - મિત્રના ઠપકાએ સહન કરવાથી મિત્રના શુભવિચારેની અસર થાય છે. મિત્ર પિતાને મહેણાં મારે ત્યારે પિતાની ભુલને જે દેખે છે અને મનમાં જરા માત્ર ખેદ લાવતે નથી એવા મનુષ્ય શણ ગ્રહણદષ્ટિથી અનેક ગુણેને પ્રાપ્ત કરી શકે છે અને સત્ય મિત્રની કટિમાં પ્રવેશી શકે છે. For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy