SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. ૧૪૭ અનેક પ્રકારના મિત્રો હોય છે. મિત્રાના ભેદ ઘણ, કહેતાં નવે પાર; ઐયભાવ વણ મિત્રતા, ખરી નહીં થાનાર. ૧૦૧ વિવેચન --મિત્રોના અનેક ભેદે છે તેનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી. ઐકયભાવ વિના ખરી મિત્રતા કદાપિ થઈનથી, થતી નથી અને થશે નહિ. નિષ્કામ શુદ્ધપ્રેમવડે પરસ્પર મિત્રોમાં ઐકયભાવના થાય છે ત્યાં સત્ય મિત્રતાની ઝાંખીને અનુભવ થાય છે. મન, વાણી અને કાયાની સર્વ પ્રવૃત્તિમાં ઐકય હોય છે ત્યાં મિત્રતાને રસ અનુભવાય છે. પરસ્પરના આત્માનું ઐકય થયા વિના આત્માના રસને પ્રાદુર્ભાવ થતું નથી. આત્માના ઐક્ય વિના આધ્યાત્મિક શકિતના સમૂહને પ્રગટાવી શકાતું નથી. આત્મજ્યપ મિત્રતામાં સર્વ પ્રકારના આધ્યાત્મિક સુખને વાસ છે. આધ્યાત્મિક ઐકયની સાથે બાાંનું ઐક્ય પ્રાપ્ત થઈ શકે તેમ છે, માટે આત્મયભાવે મિત્રતા કરીને વિશ્વમાં અનંત સુખમય જીવન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવું જોઈએ. મન, વાણી અને કાયાને ઐકયમિત્રભાવ ખબર આત્માના ઐયભાવથી ચિરસ્થાયી રહી શકે છે, અન્યથા નષ્ટ થઈ શકે છે, માટે પરસ્પર આત્માઓનું ઐકય કરવું જોઈએ. જ્યાં એક છે ત્યાં મિત્રતા છે. પરિમિકનું લાક્ષણ કરે છે. મિત્ર હૃદયમાં પેસીને, કરે મિગનું કામ; નિષ્કામી થઈ સચરે, પવિત્ર તેનું નામ. ૧૦૨ વિવેચન –પવિત્ર મિત્રનું સ્વરૂપ પ્રકાશે છે. મિત્રના હૃદયમાં પ્રેિમથી પ્રવેશીને જે મિત્રનું ઈષ્ટ કર્તવ્ય કરે છે, અથવા કરવામાં સહાધ્ય કરે છેપોતાની શક્તિને મિત્રના કાર્યોમાં એકરૂપ થઇને જે વાપરે છે, તથા જે મિત્રે કાર્યો કરીને પાછળથી સામે બદલે લેવાની ઈચ્છા રાખતા નથી મિત્રો માટે જેની મન, વાણી અને કાયાની For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy