SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ મિત્રમૈત્રી. એલ્ક વર્ગથી ઉચ્ચ શુદ્ધ વિશ્વ સમાજ બને, એમાં કાંઈ આશ્ચર્ય નથી માટે ઉપયુંકત અભેદષ્ટિની મિત્રતા યુકત વિશ્વવતિ મનુષ્ય બને એવા ઉપાયે જવા જોઈએ. અભેદ અદ્વૈત મિત્ર દશા. આત્મા જગ ઈશ્વરસહ, અભેદરૂપ જણાય; સર્વ જગતના જીવ સહુ મિત્ર પણે પરખાય. ૯૦ વિવેચનઃ–આત્મજ્ઞાની અર્થાત્ બ્રહાજ્ઞાની, લય સમાધિ, સહજ સમાધિ, રાજગ સમાધિની પરિપકવતા કરીને તથા જ્ઞાતા યની એકતા કરીને શુદ્ધ નિવિકલ્પ જ્ઞાની પ્રાપ્તિ કરે છે, ત્યારે તેને આત્મામાં જગ, ઈશ્વર, સર્વ સમાયેલું લાગે છે. આત્માના કેવળ જ્ઞાનમાં સર્વ સેનું પરિણમન થાય છે, તેથી તે દષ્ટિએ જ્ઞાન અને યપર્યાની કથંચિત્ અભેદતાએ આત્માની સાથે સર્વ અભેદ રૂપ લાગે છે, તેથી તેને તેવી દશામાં વિશ્વવતિ સર્વ જી સ્વામ સમાન મિત્રપણે અનુભવાય છે. આવી કેવળ જ્ઞાનની દષ્ટિ થયા પશ્ચાત્ કંઈપણ કર્તવ્ય બાકી રહેતું નથી. આવી અભેદદષ્ટિની પાપ્તિ કરવા માટે મેહનીપ્રકૃતિને નાશ કરે જોઈએ. દેહાધ્યાસ વગેરે સર્વ અધ્યાસે ટાળીને આત્મામાં સમાધિનિષ્ટ થવું જોઈએ. આત્માની મિત્રતારૂપ અનન્તવર્નલની પ્રાપ્તિ ખરેખર કેવળજ્ઞાન પ્રાપ્તિની સાથે સંબંધ ધરાવે છે. સ્વાત્મચરિત્રની જેમ જેમ શુદ્ધતા - થતી જાય છે. તેમ તેમ આન્તરિક આધ્યાત્મિક મિત્રાધ્યવસાને .અનુભવ પ્રાપ્ત થતો જાય છે, અને તેથી અનેક દેથી આત્મા મુક્ત થાય છે. વિશ્વવતિસર્વજીના ગુણે તરફ આમેપગે વર્તવાની સાથે ગુણાનુરાગદષ્ટિ ખીલતી જાય છે અને દેષઢષ્ટિને નાશ થત જાય છે. આ રીતે મિત્રના ગુણેની ચારિત્ર દશાની પ્રાપ્તિ થતાં થતાં છેવટે પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે તે સમયે ઉપયુક્ત અનુભવ આવે છે તેથી તે સંબંધી વિશેષ અનુભવ છે તેવી દશા પ્રાપ્ત કર્યા પશ્ચાત્ જણાય છે. For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy