SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. ૧૨૫ શુદ્ધ જીવનના પ્રકાશમાં સહાયી બને છે. મનુષ્ય પોતાની ચારે બાજુએ મિત્રો બનાવી રાખવા જોઈએ કે જેથી આમેન્નતિ કરવામાં સદા સગવડતા બની રહે. વિશ્વમાં સહેજે જે મિત્ર બને છે તથા પોતાના ગુણેથી વા પૂર્વ ભવના સ્નેહે જે મિત્રો બને છે. તેવા મિત્રોથી દિવ્ય જીવન પ્રાપ્ત થાય છે માટે તેના મિત્ર કર્યા વિના રહેવું નહીં. મનવૃત્તિ ફેરે બદલાતા મિત્રે. થયા થાય મિત્રો ઘણું, મિત્ર ઘણું બદલાય, વૃત્તિફેર છે, મનવૃત્તિપર્યાય. વિવેચન –મિત્ર અનેક થયા થાય છે અને ભવિષ્યમાં ઘણા થશે. ભૂતકાલમાં ઘણા મિત્રે બદલાયા. વર્તમાનમાં કેટલાક બદલાય છે અને ભવિષ્યમાં મનવૃત્તિ કે ઘણા બદલાશે, તેમાં મને વૃત્તિને ફેરફાર સમજો. મને વૃત્તિ પર્યાયે જેમ જેમ બદલાય છે તેમ તેમ મિત્રોમાં પણ ફેરફાર થયા કરે છે. મનવૃત્તિના વિચારે અને આચાર મળતો આવતાં તે તે જાતના મિત્રો થાય છે. અને તે તે વિચારે અને આચારે બદલાતાં મિત્રની દૃષ્ટિમાં ફેરફાર થાય છે. એટલું જ નહીં પરંતુ મનવૃત્તિના વિચારની અને આચારેની વિરૂદ્ધતાથી મિત્રે બનેલાઓ પણ પ્રસંગે શત્રુ બને છે. સદાકાલ એક સરખી કેઈની મને વૃત્તિ રહેતી નથી. વિચારોના અને આચારેના ભેદથી તે તે વૃત્તિવાળાએ પરસ્પર એક બીજાને ઘેર અન્યાયી માને છે. અને તેથી પરસ્પર વૃત્તિભેદે લડી મરે છે, ત્યાં મિત્રતા રહી શકતી નથી. પરસ્પરવિરૂદ્ધમનની માન્યતાઓથી જે એક બીજાને પાપી, શત્રુ, અધમ માનતા હોય તેવા જ શી રીતે માવત્તિની મિત્રતાને સદાકાલ સંરક્ષી શકે વારૂં? પરસ્પર શાસ્ત્રોથી વિરૂદ્ધ વિચારેની માન્યતાઓ વડે, દેશભેદવડે, આચાર વેષવડે, નાતિભેદવડે જે પરસ્પરના આત્માને અવલોકી શકતા નથી તેઓ મિત્ર ભાવની સ્થાયિતા સંરક્ષવા શક્તિમાન્ થતા નથી. વિચાર, For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy