SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ મિત્રમૈત્રી. વિવેચન –આત્મજ્ઞાની, આત્મપ્રેમી મિત્રદશાના અધ્યવસચેના સર્વપર્યાયને અનુભવીને આત્મજ્ઞાની આગળની દિશામાં ચઢતે જાય છે, અને તે સ્વાધિકારદશા એગ્ય મિત્રત્વને અનુભવે છે. પ્રથમ મનમાં વિશુદ્ધ પ્રેમે વિશુદ્ધ મિત્રતાના સુખને અનુભવ આવે છે, વિશુદ્ધપ્રેમે આત્મામાં સર્વ પ્રકારના શુભ મિત્રત્વતાના અધ્યવસાયે ગવાય છે. અશુભમિત્રોના આચારેને અને વિચારેને અનુભવ લઈને આત્મા શુભમિત્રોના આચારેને અને વિચારેને અનુભવ લેવા પ્રયત્ન કરે છે, અને રજોગુણી અને મેગુણ મિત્ર પ્રેમમાં જે દોષોની અશુદ્ધતા છે તેને સાત્વિકમિત્ર પ્રેમથી ટાળીને વિષયવાસના સ્વાર્થ વિનાને વિશુદ્ધ પ્રેમે આગળની દશામાં આહીને સત્યમિત્રત્વને અનુભવ કરે છે. મનમાં વિશદ્ધપ્રેમ પ્રકટાવ્યા વિના વિશુદ્ધ મિત્રની પ્રાપ્તિ થતી નથી. વિશુદ્ધ મિત્ર માટે વિશુદ્ધ પ્રેમની જરૂર છે. લાયક થશે તેટલું મળશે. જેવું બા માં ઇચ્છા છે તેવું પ્રથમ પિતાના આત્મામાં પ્રકટાવે. આત્મામાં મિત્રપણાના આત્મિક જેવા પર્યાયે પ્રકટાવે છે તેવા પર્યાયવાળા અન્ય મિત્રની પ્રાપ્તિ થાય છે. દુનિયામાં સર્વે વસ્તુઓ છે, અન્તમાં તે વસ્તુ માટે યોગ્ય થશે તે બાહ્યથી તે વસ્તુઓને મેળવી શકશે. મિત્રદશાના જેવા પર્યાયે ઇચ્છશે તેવા પ્રાપ્ત કરી શકશે. અશુભનો ત્યાગ કરીને શુભ મિત્રપર્યાયે પ્રગટાવવા માટે લાયક બનવું જોઈએ. પ્રેમનું રહસ્ય દર્શાવે છે. પ્રેમ મરણ વા શરણુ છે, પ્રિમ પિયુષને ઝેર; પ્રેમી મિત્ર મળ્યા પછી, રહે ન ઈ વેર. ૮૪ વિવેચનઃ–પ્રેમ તે એક દષ્ટિએ મરણ છે, અને અમુક એક દ્રષ્ટિએ શરણુ છે. પ્રેમ તે અમુક દષ્ટિએ અમૃત છે અને અમુક દષ્ટિએ ઝેર-વિષ સમાન છે. પ્રેમ મરણ ના પ્રેમ શરણ છે, તેને અનુભવ વસ્તુતઃ વિચારીએ તે જ્ઞાનીઓને આવી શકે તેમ છે, For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy