SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ મિત્રમૈત્રી. મિત્રને પ્રાપ્ત કરવા માટે આત્માના સંબંધી મનને મિત્ર બનાવવાની અત્યંત જરૂર છે. મનની અને આત્માની મૈત્રી કર્થ છે. ક્ષણિક મનથી મિત્રતા, ક્ષણિક સઘળી જાણુ આત્મસમા સહુ મિત્ર ત્યાં, આત્મ મિત્રતા માન. ૭૪ વિવેચન–ક્ષણિક મનની સઘળી મિત્રતા ક્ષણિક છે. ક્ષણમાં મનમાં રૂષ્ટતા આવે અને ક્ષણમાં મનમાં તુષ્ટતા આવે, આવી મનની સ્થિતિ કથવામાં આવે છે. જેવા સાનુકુળ વા પ્રતિકુળ સંગે પ્રાપ્ત થાય તેવું મન થાય અને સત્ય ગ્રહણ ન થાય એવી ક્ષણિક મનની સ્થિતિથી મિત્રમેળની પણ ક્ષણિક સ્થિતિ થાય છે. મનની પિલી પાર રહેલ અરૂપી આત્માનું સ્વરૂપ અનુભવવું અને પિતાના આમા સમાન સર્વજીને અનુભવવા. અન્યની બાહ્ય સ્થિતિની ગમે તેવી પ્રતિકુલતા છતાં અન્યના મૂળઆત્માઓ પર સ્વાત્મવત એકસરખે મિત્રભાવ રાખે તે આત્મમિત્રતા ગણાય છે. સ્વાત્મા સમાન અન્યના આત્માઓને દેખવા, અને અન્યના આત્માઓને સ્વાત્મવત્ આચરવા, પરંતુ પ્રતિકુલભાવથી તે તેઓને ન જેવા એજ આત્મમિત્રતાના પગથીયે આરેહવાને મુખ્ય પાય છે. અજેની મન, વાણું, કાયાની ચેષ્ટાની ઉપેક્ષા કરીને તેમાં રહેલા આત્માઓને દેખે, અનુભવે, અને આત્મવત તેઓની સાથે વર્તો, એજ આત્મમિત્રતા કરવાનું લક્ષણ કર્યું. આત્માના ગુણવડે અન્યમનુષ્યના આત્માઓની સાથે વર્તવું તેજ આત્મમિત્રતા પરમબ્રહ્મપદ અર્પનારી છે. આત્મારૂપ મિત્રની પ્રાપ્તિથી અનન્ત સુખ થાય છે. આત્મા મિત્ર બની રહે, વતી મનથી ભિન્ન તે દુ:ખ જગ કયાંયે નહીં, સુખમાં ચેતન લીન, ૭૫ વિવેચન –મનથી ભિન્ન પિતાને આત્મા પિતાને મિત્ર રહે છે અને તે મિત્ર ગુણવડે પિતાના સંબંધીઓને અને વિશ્વ For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy