SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) ચતુરા બળી ગઈ ચહે વિષે, જેની ચપળ કઈ ચાલ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત્ કાળફરાળ છે. ૧૦ નિજ દેખતાં ચાલ્યા ગયા, સરખી ઉમરના સ્નેહીએ, મૃત્યુ રૂપી દાવાનળ, દાઝી મુવા કે દેહિઓ; ચાલ્યા ગયા પૂર્વજ ઘણા, કયાં નામ ઠામજ હાલ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત્ કાળફેરાલ છે. ૧૧ પરનારીઓ પર પ્રેમવાળા, કુટિલ જન વ્યભિચારિઓ, અથવા વ્યસન આધીન થઈ, વરનારા અતિશય નારીઓ; આયુષ્ય એનાં લય થયાં, જ્યમ તેલ દહતી મશાલ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગતુ કાળફરાળ છે. ૧૨ નદી પેર જેવું તેવું આ, યવન તણું પણ પુરે છે, અને જવાનું ઉડી, જેવાં આકડાનાં તૂર છે; ધન તન તથા સંબંધીને, નભ વાદળા સમતાલ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. ૧૩ કાને ભરાવી કલમ અધિ–કારી બની કેરટ જતા, નિર્દોષીને દેશી કરી, મનમાં મગન થાતા હતા; દોષી કરણ નિર્દોષીને, કાળે કર્યા કંગાળ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત કાળફેરાલ છે. ૧૪ લઈ કૈક કેરા શેરને, કરનાર માટી મીલ જે, પૈસા પુરણ ભેળા કરી, કરતા ત્રિયાનાં વિલ તે, ખળી ખાખ સાફ થઈ ગયા, કહેતા હવે ક્યાં માલ છે? જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત્ કાલફરાળ છે. ૧૫ મુનિરાજ થઈ કૈ મુનિ ઉપર, ઉરમાં અદેખી આણુતા, વીતરાગ પંથે આવીને, વીતરાગતા નહિ જાણતા, એવા મુનિની સ્થિતિ થઈ, અગ્નિ વિષે જેમ રાલ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગતુ કાળફેરાલ છે. ૧૬ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy