SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓઃ [૧૩} રહેનારને ઉચ્ચ સત્ય તની પ્રાપ્તિ થાય છે અને તે વિશ્વમાં સંપૂર્ણ સત્યને દેખી શકે છે. આત્માના જ્ઞાનાતિગુણને ખીલવવાને મળ સમભાવરૂપ સામાયિન્જ ઉપાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણામ પામીને પશ્ચાત જોવામાં આવે તે રવાનાદિગુણની શુદ્ધિ થયેલી અનુભવવામાં આવે છે. ભૂસ્થાએ હરજ સામાયિક કરવું જોઈએ અને સામાયિકરૂપ આત્માને પ્રાપ્ત કરવા દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. ભરનિદ્રામાં જેમ હય દુનિયાનું ભાન રહેતું નથી તેવી રીતે સત્ય સામાયિકમાં શહેવાત્મકવૃત્તિનું ભાન રહેતું નથી. ભરનિદ્રાની પદે રાગદ્વેષના વિચારાનો ઉપશમ થવો જોઈએ. રામભાવરૂપ સામાયિકમાં પરભાવનો વિચાર ન હોવો જોઈએ. શુદ્ધોપગથી વસમયમાં માણુતા કરવાથી આત્માની ખરી દશાનો ખ્યાલ આવે છે. જગતના દયને પાંચ ઈન્દ્રિયો અને મનથી બિલકુલ સંબંધ વ રહે અને આત્મગુણોમાં મનની એવી રમણતા થાય કે જાણે હું આત્મા વિના અન્યનો સંબંધી નથી–આવી દશામાં સમભાવરૂપ સામાયિકનો અનુભવ આવે છે અને તેથી આત્માને સહજાના અનુભવાય છે. સમભાવરૂપ સામાયિકમાં નિવૃત્તિ સુખનો પ્રકાશ ખીલે છે. શરીરના અણુ અણુમાંથી મમત્વરાગભાવ દૂર થાય અને ગમે તેવા ભયમાં છાતી ધડકે નહિ અને આત્મા અચલ થાય નહિ, એ ભાવ આવ્યાથી આત્માનું સામાયિક ખરેખર આત્મામાં જ બને છે. સમભાવરૂપ સામાયિકનો હું તા–કતા છું એવું ભાન પ્રગટ થાય છે ત્યારે “સામેવત - યઃ પતિ પર પતિ ” એવી આત્મદષ્ટિ પ્રગટે છે, અને આત્માનું, વીય સ્થિર થાય છે. સમભાવરૂપ પરિણામ For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy