SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓઃ [ ૧૭૭] તેઓ ઉપયુક્ત કાર્યો કરવાને શક્તિમાન થયેલ છે. શાસ્ત્રીજી બ્રહ્મચર્યના પ્રતાપે શારીરિકબળ ખીલવી છાતીમાં ઈટ ફાડી શકે છે. ખરેખર બ્રહ્મચર્ય ધારણ કરવાથી કમગીની પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યથી મન વચન અને કાયાની સર્વ શક્તિયોને સાહાએ મળે છે અને તેથી કર્તવ્ય કાર્યોને સમ્યગુરીત્યા કરી શકાય છે. વીર્યરક્ષા વિના આ વિશ્વમાં જીવવું મહાદુર્લભ છે અને જીવ્યા વિના કર્તવ્ય કાર્યો કરવાં તે પણ મહાદુલભ છે. અતએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વ મુનિવરની પેઠે મન વચન અને કાયા ઉપર કાબૂ ધરાવીને દેશ ધર્મ અને સમાજનો અધઃપાત થતે નિવારે જોઈએ. વીર્યના અધ:પાતની સાથે દેશ ધર્મ સમાજ વિજ્ઞાન નીતિ વગેરેને અધ:પાત થાય છે અને તેથી પુનઃ જ્યાંથી પાત થયે હોય છે તે રિથતિને પ્રાપ્ત કરતાં અનેક વર્ષો વહી જાય છે. વીર્યની સુરક્ષાવડે આધ્યાત્મિક વીર્યશક્તિની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી મનને આત્મા પિતાના તાબામાં સખી મનદ્વારા અનેક કાર્યો કરી શકે છે. અએવ મન વાણી અને કાયાને પ્રત્યેક મનુષ્ય પિતાના આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે એવી સ્થિતિમાં મૂકવી જોઈએ. જ્યારે આમા સ્વશક્તિવડે મન વાણું અને કાયાને સ્વાયત્ત કરે છે ત્યારે જે જે કવ્ય કાર્યોને હસ્તમાં ધારણ કરે છે તેઓને પરિપૂર્ણ કરે છે. ખરેખર મારી (આત્માની આજ્ઞા પ્રમાણે મન વતે છે અને કાયા વતે છે એ અનુભવ જ્યાં સુધી પ્રત્યેક મનુષ્યને થતું નથી ત્યાં સુધી તે સાંસારિક મેહબંધનોથી મુક્ત થતો નથી અને સાંસારિક કર્તવ્ય કાર્યોમાં નિલેપ રહી શકતું નથી. ઉપયુક્ત લેખ્યસારને હૃદયમાં ધારણ કરીને વિચા For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy