SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ [૯] ભિન્ન નથી. જ્યારે ત્યારે પરમાત્મસ્વરૂપની ઝાંખી થાય છે તે વખતે આત્મસુખની ઘેન પ્રગટે છે અને એ આત્મસુખની ઘેન જાણે ત્રણ ભુવનમાં ન સમાતી હોય એવી રીતે અન્તમાં તેને અનુભવ આવે છે. આ અનુભવ અમને તે અંતરમાં ઉપગભાવે વેવાય છે તેથી સ્પષ્ટ રીતે જગને જાહેર કરવામાં આવે છે કે ઈદ્રિયાતીત સહજ સુખને અનુભવ તેજ પરમાત્મસ્વરૂપની ઝાંખી છે. તેને અનુભવ કરે છે તે સર્વ સંગને પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરે, ધ્યાન આત્માનું કરવાથી અને આત્માનું જ્ઞાન કરવાથી અને આત્માના સ્વરૂપમાં ઉપગે લીન થવાથી જગની ધાંધલ ભૂલાવાની સાથે આત્મસુખને અનુભવ પ્રગટ થાય છે. આત્મારૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તે સ્વશરીરમાં રહેલા અસંખ્યાત પ્રદેશી આત્માને દેખે. જ્યાં જડરૂપ અસતુ પર્યાય પદાર્થો છે ત્યાં ત્રણ કાળમાં પણ આત્મારૂપ પરમાત્મા પ્રાપ્ત થવાનો નથી. અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા ધારણ કરવા માત્રથી વા સર્વસંગપરિત્યાગની વાતે કરવા માત્રથી આત્મારૂપ પરમાત્માને ભેટી શકાશે નહિ. તમે પોતે જ શરીરમાં પરમાત્મા છે. આવરણક્ષપશમે અંશે અંશે તમે પરમાત્મત્વને વિકાસ કર્યા કરે છે જેથી અમુક કાળે સંપૂર્ણપણે તમે પિતાને જ પરમાત્મપણે દેખાશે–અનુભવશે. ૬૫. પરમાત્મપદ એ આત્મામાં છે. શારીરિક ધર્મો એ કંઇ આત્મારૂપ પરમાત્માના ધર્મો નથી. આત્મારૂપ પરમાત્માના ગુણે શરીરથી ભિન્ન છે માટે શરીરની ચેષ્ટાથી આત્માનું પરમાત્મત્વ પરખાય નહિ, વામન માનવામાલિવિત માયાવિશ્વરિ નાતત્વમસિ ને મારા આ બ્લેકદ્વારા પરમાત્માના ગુણદ્વારા પરમાત્માનું મહત્વ જણાવવા આચાયે પ્રયત્ન કર્યો છે. For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy