SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરા ચામાં, ધર્માનુષ્ઠાનમાં અમુક દૃષ્ટિએ કદાગ્રહ બંધાયા પશ્ચાત્ અમુક અન્યધર્માચારમાંથી, ક્રિયાઓમાંથી, સદાચારમાંથી જે જે અંશે ક્ષેત્રકાલાનુસારે સત્ય હોય છે તે ગ્રહી શકાતું નથી એટલું તો નહિ પરંતુ તેમાંથી સત્યને મારી નાંખવાની પ્રવૃત્તિ પણ કર્યાવણ રહી શકાતું નથી. સત્યના અનભેદ છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સત્યની મર્યાદાઓ બાંધતાં છતાં પણ અનન્તસત્ય તે અવક્તવ્યરૂપે કાયમ રહે છે. અનન્તસત્યને અનન્તજ્ઞાન પ્રકાશી શકે છે. અનન્ત દ્રષ્ટિમાં અનન્તસત્ય છે તેથી સાપેક્ષન વિના કઈ પણ બાબતની સત્યની વ્યાખ્યા બાંધી શકાય નહિ માટે અનન્તધર્મની વ્યાખ્યા અનુભવ નારાઓએ કદાપિ કદાગ્રહ કરે નહિ. અનેક ધર્મમતવાદીઓ કદાગ્રહ કરીને પરસ્પરમાં રહેલ સત્યને અપલાપ કરે છે અને અસત્યને અંગીકાર કરે છે. અએવ સમાજ, સંઘ, દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ, મંડલ અને વ્યક્તિનું ઉન્નતજીવન કરવાને કદાગ્રહને ત્યાગ કરીને સર્વગત સત્યને અંગીકાર કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ, અને અસત્ય કદાગ્રહને ત્યાગ કરવાને રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. હારૂં તે સાચું એમ નહિ માનતાં સત્ય તે મહારૂં એ દઢ સત્યભાવ ધારણ કરવા જોઈએ. કામરાગ, નેહરાગ, દષ્ટિરાગને ત્યાગ કરીને સત્ય ગ્રહવું જોઈએ. અનન્તજ્ઞાનને અનુભવ પ્રગટયા પશ્ચાત સત્યના અનંતઅંશેને સર્વમાંથી ખેંચી શકાય છે. સદાચારના સંસ્કારથી સુપરંપરાને વિસ્તારવી જોઈએ અને સવિચારેવડે ધર્મકર્મના વ્યવહારને પિષ જોઈએ. ગુણકર્મના વિભાગે બ્રાહ્મણદિ ચારે વર્ગમાં સદાચારના સંસ્કારની પરંપરાની વૃદ્ધિ કરવાથી ચારે વણે પિકી કઈ વર્ણને ગુણ કર્મોથી વિનિપાત થતે. નથી, અને તેમજ ત્યાગી સાધુઓને પણ નાશ થતું નથી. હાલ ચારેવર્ણમાં સદાચારના સંસ્કારની સુપરંપરાને વિસ્તાર મન્દ પડી ગયું છે તેથી આની પતિતદશા થઈ છે. પરંપરાએ ગુણકર્મોના અનુસારે ચારેવર્ણોમાં સંકારાની પરંપરાને. વિરતાર જે સદા થયા કરે છે તે તેથી દેશની વિદ્યા સત્તા-વ્યાપાર સેવાદિથી સર્વ પ્રકારે આબાદી રહે છે. તત્વજ્ઞાનના અભાવે લેફેમાં સદાચારના સંસ્કારો ૧૧૬ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy