SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનશાસ્ત્રામાં વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મની પ્રભાવના કરનારાઓજ ખરેખરા ધર્મના રક્ષક છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓમાં અદ્ભુત સામર્થ્ય રહેલું હોય છે, તેને સામાન્યબુદ્ધિવાળાઓને ખ્યાલ આવી શકતું નથી. અનેક શુભકર્મોથી ધર્મની પ્રભાવના કરી શકાય છે જ્ઞાનદાન, અન્નદાન, વસ્ત્રદાન, સુપાત્રદાન, કીર્તિદાન, અનુકંપાદાન, અભયદાન, ધર્મદાન, અનુભવદાન, બ્રહ્મદાન આદિ અનેક પ્રકારનાં દાને કથેલાં છે. સેવાઓ પણ અનેક પ્રકારની કથેલી છે. દાન અને સેવાથી સર્વ જીવોને ધર્મ તરફ આકર્ષી શકાય છે. સાત્વિક દાન, અને સાત્વિક સેવાથી આત્માની શક્તિ ખીલે છે અને પુષ્પની આસપાસ જેમ ભ્રમરે ગુંજે છે તેમ તેવા કર્મયેગીની આસપાસ ધમિમનુષ્યને સમૂહ ભેગે થાય છે અને તેના વિચારને અને આચારેને અનુસરે છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓ અનેક પ્રકારની તેમને એગ્ય લાગે એવી ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. તેઓ અમુક જાતના વ્યવહારમાં એકાંતે બંધાતા નથી. તેઓને મૂળ ઉદ્દેશ, ધર્મની પ્રભાવના કરવાને હેય છે તેથી તેઓ ધર્મની પ્રભાવના કરીને સ્વસમાન અનેક ધર્મપ્રભાવકને પણ વિશ્વમાં ઉત્પન્ન કરી શકે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મની પ્રભાવને જે રીતે કરી હતી તે તેમના ચરિતપરથી સ્પષ્ટ અવાધાય છે. સત્તાવંતને, લક્ષમીમને અને વિદ્વાનોને ધર્મમાં વાળવાથી તથા ધર્મની સ્થાપના થાય એવાં ભાષણ અને લેખ લખવાથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. ધર્મની પ્રભાવના કરનારાઓ ખરેખર જે ધર્મમાં વિશેષ સંખ્યામાં હોય છે તે ધર્મની વિશ્વમાં વ્યાપક્તા થાય છે. ધર્મકામાર્થસેવકોએ ધર્મજ્ઞાન પ્રચારાર્થે પાઠશાલાદિક શુભકર્મ કરવાં જોઈએ. ધર્મશાલા વગેરેનું સ્થાપન કરવું. સાધુઓને અને સા વીઓને ભણાવવા માટે પાઠશાલાદિકના સ્થાપનનાં જે જે શુભકર્મો કરવાનાં હોય તે તે કરવા જોઈએ અને ઉપદેશસત્તા લક્ષ્મીથી સ્થપાવવાં જોઈએ. સત્કારભક્તિપૂર્વક ધમિલે કેને સાહાધ્ય કરવી જોઈએ. ધાર્મિક મનુષ્યને સહાધ્ય દેવાથી મહાધર્મની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનદર્શન ચારિત્રરૂપ ધર્મને સાધનાર સાધુઓ પર પ્રેમ ધારણ કરે જોઈએ. સત્કારભક્તિવિનાના સાહાટ્યથી સ્વાત્માની For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy