SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮૫ બ્રાહ્મણગુરૂ અને ત્યાગી ધર્માચાર્યો જેજે સંસ્કાર કરાવે છે તેનું સારીરીતે વર્ણન આપવામાં આવ્યું છે. જ્યારથી જૈનધર્મપાલક બ્રાહ્મણનું જૈનધર્મમાંથી અસ્તિત્વ નષ્ટ થયું ત્યારથી જૈનધર્મની ઝાહેઝલાલીમાં ન્યૂનતા થવા લાગી છે અને ક્ષત્રિયવર્ણનું જ્યારથી જૈનધર્મમાંથી અસ્તિત્વ નષ્ટ થયું ત્યારથી જૈનધર્મ તે રાજકીય ધર્મ રહ્યો નહીં. વૈશ્ય વર્ગમાં પણ અમુક જાતના વણિકેથી જૈનધર્મનું બાહ્યાચરણ વ્યવહારમાં હાલ તે અસ્તિત્વ રહ્યું છે. હવે પૂર્વની પેઠે જૈનધર્મ પાળનારા તરીકે ગુણકર્માનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર બને, તથા પૂર્વની પેઠે સોળ સંસ્કારોનું પુનઃ અસ્તિત્વ પ્રગટે તેજ જૈનધર્મને પુનઃ ઉદ્ધાર થાય તેમ સંભવ છે. જૈનધર્મને ઉદયકર્તાઓ યુગપ્રધાને જ્યારે જ્યારે થાય છે. ત્યારે ત્યારે તેઓ ઉપર્યુક્ત વ્યવસ્થાથી જૈનધર્મને ઉદ્ધાર કરી શકે છે. ભૂતકાળમાં એ પ્રમાણે વર્તવાથી જૈનધર્મને ફેલા થયે અને ભવિષ્યમાં થશે. જૈનધર્મ પાળનારી ચારેવણું અને ત્યાગીઓ વિશ્વની સર્વપ્રકારની શુભેન્નતિમાં સારી રીતે ભાગ લેઈ શકે છે. આત્મસમર્પક કર્મગીએ ચારેવર્ણમાં ઘણા પ્રમાણમાં પ્રકટવાથી પ્રત્યેકવર્ણના ગુણકર્મોની સાથે ધર્મની પૂર્ણ વૃદ્ધિ થાય છે. અવિરતિસમ્યગદષ્ટિ ધર્મ, દેશવિરતિ ધર્મ, અને સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને ચારેવર્ણના મનુષ્ય અધિકારી છે. સત્તા બળ અને લક્ષમીથી ચારે વર્ણના મનુષ્ય ધર્મની પ્રભાવના કરી શકે છે. યતના અને વિવેક પૂર્વક ચારેવર્ણના મનુષ્ય સ્વાધિકારે દેશકાલાનુસારે ધર્મની આરાધના કરી શકે છે. જે પરિસ્થિતિથી બ્રાહ્મણે જૈનધર્મની આરાધના કરી શકે છે તેનાથી ભિન્નગુણ કર્મની પરિસ્થિતિથી શુદ્ર, વૈશ્ય અને ક્ષાત્રવર્ગ જૈનધર્મની યથાશક્તિ આરાધના કરી શકે છે. જૈનધર્મની આરાધનામાં સર્વવર્ણને એક લાકડીથી હકાય એવી રીતિથી પ્રવર્તાવી શકાતી નથી. કારણકે દરેક વર્ણ સ્વસ્વગુણ કર્માનુસારે બાહ્ય આજીવિકાદિ સાધનેન્નતિપૂર્વકધર્મની આરાધનામાં જુદી જુદી પ્રવૃત્તિ સ્થિર થઈ શકે છે. અન્યથા વર્ણવ્યવસ્થા ધર્મને લેપ થવાની સાથે બોન્નતિના નાશની સાથે વીતરાગ સર્વત પ્રણીત ધર્મમાં પણ અનેક પ્રમાદોને ઉત્પાદ થાય છે. અતએ સ્વસ્વાધિકાર વિવેક યતના પૂર્વક સ્વસ્વગુણકર્માનુસાર પ્રવૃત્તિ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy