SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય છે. શીર્ષ, બાહ, ઉદર, અને પાદ એ ચાર વિના શરીરને નાશ થાય છે અને શરીરમાંથી આત્મા પલાયન કરી જાય છે તેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારને ગુણપૂર્વક વર્ણવિભાગ વિના દેશને, કેમને, સમાજને, સંઘને અને ધર્મને નાશ થાય છે. ચાર અંગેને પરસ્પર એક બીજાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે તેમાં ચાર વર્ણોને પરસ્પર એકબીજાની જરૂર પડે છે. જે ધર્મમાં ચારવર્ણોના ગુણકર્મોવાળા મનુએ હેતા નથી તે ધર્મને વ્યવહારમાંથી નાશ થાય છે. જૈનધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્ર એ ત્રણ વર્ણના ગુણકર્મવાળા મનુષ્યની બેટ પર છે. જૈનધર્મ-બ્રહ્મજ્ઞાનવિશિષ્ટત્યાગી મહાત્માઓ સર્વ જનને બ્રહ્મતત્વને લાભ સમર્પ તથા આત્મચારિત્ર્યાદિ ગુણોને લાભ સમર્પ સ્વકર્તવ્ય કર્મ કરે છે. ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિયે ગુણકર્માનુસારે ક્ષાત્રબળે ચગ્યજનેને સંરક્ષી પૃથ્વીનું રક્ષણ કરી વિશ્વમાં બાહ્ય શાંતિપૂર્વક આતરશાન્તિમાં સહાયભૂત બને છે. બ્રહ્મજ્ઞાની ત્યાગી મહાત્માઓ વચ્ચે વર્ણને જ્યારે આત્મજ્ઞાનને લાભ આપે છે ત્યારે ક્ષાત્રબળવિશિષ્ટ ક્ષત્રિએ ગુણકર્માનુસાર બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ધ વગેરેની રક્ષા કરી પોતાની ફરજ અદા કરે છે, ત્યારે વિયે અન્યત્ર વર્ગનું પિષણ કરી સ્વફરજને અદા કરી ધર્મવૃદ્ધિમાં સાહાશ્મીભૂત બને છે. શુદ્ધ સેવાધર્મ અંગીકાર કરીને ત્રણ્યવર્ગ પ્રતિ પિતાની ફરજ અદા કરી શકે છે. ગમે તે રીતે ગમે તે રાજ્યમાં, દેશમાં, કેમમાં ઉપર્યુક્ત ચારવણેની વ્યવસ્થા ખરેખર ગુણકર્માનુસારે હોય છે તે તેથી દેશ, સમાજ, કેમ, ધર્મ સામ્રાજ્ય વગેરેની અસ્તિતા કાયમ રહે છે. ભૂતકાળમાં ચારેવર્ણમાં અનેક પ્રકારના ગુણકર્માનુસારે સુધારા થયા. વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. ચારેવર્ણની આવશ્યક્તા માનવાથી ધર્મવ્યવહારમાં પણ ચારેવર્ણની આવશ્યક્તા વ્યવહારવત્ ઈષ્ટ મનાય છે તે તેથી ધમાં મનુષ્યની અને ધર્મની વૃદ્ધિ થયા કરે છે. પિંડમાં વ્યવહાર અને નિશ્ચયથી ચારે અંગેની પરસ્પર જેમ ઉપ ગિતા છે તેમ બ્રહ્માંડમાં સર્વ ઉપર્યુક્ત બાબતેમાં વ્યવહાર અને નિશ્ચયથી ચારેવર્ણવિભાગની ઉપગિતા ખરેખર વ્યવસ્થાપૂર્વક સિદ્ધ કરે છે. ક્ષાત્રવર્ગની, દ્રવર્ગની સ્થિતિ સુધર્યા વિના ઘર્મને વા દેશને ઉ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy