SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભેદે પરિવર્તને જ થએલા જણાય છે. માટે વિવેકદ્રષ્ટિને અગ્રગામી કરી ધાર્મિક મનુષ્યના અસ્તિત્વમાટે ઉત્સર્ગમાર્ગથી અને અપવાદ માર્ગથી જે કંઈ કરાય તે કરવું પરંતું તેમાં મત કદાગ્રહણ કરી સંકુચિતદ્રષ્ટિથી કદિ પ્રવૃત્તિ કરવી નહીં. સ્વતંત્ર વિચારેથી અને સ્વતંત્રા ચારેથી સ્વાશ્રયી બની ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે જે કંઈ કરવું ઘટે તે કરવામાં અંશમાત્ર ન્યૂનતા સેવવી ન જોઈએ. ધામિક મનુષ્યના અસ્તિત્વમાટે દેશકાલાનુસારે યોગ્ય કર્મો કરવાં એને અર્થ એ ન કરે કે જેથી પિતાની દ્રષ્ટિમાં અધર્મીમનુષ્ય તરીકે જેઓ ભાસતા હોય તેઓને નાશ કરવા પ્રવૃત્તિ કરવી. વિશ્વમાં પરસ્પર મનુષ્ય એક બીજાને ધર્મભેદે, વિચારભેદે આચારભેદે અધર્મી ગણું તેઓના નાશપૂર્વક સ્વમાન્યતાવાળા ધર્મીમનુષ્યના અસ્તિત્વ માટે પ્રવૃત્તિ કરે તે તે રજોગુણી તમે ગુણ અધર્યું પ્રવૃત્તિ ગણી શકાય. અતએવ મતભેદને કદાગ્રહ ત્યાગ કરીને વિશ્વમાં ધસ્યમનુષ્યનાબળે અધમ મનુષ્ય કે જેઓ હિંસક, અસત્યવાદી, અન્યાયી, અપ્રમાણિક, જડવાદી અનેક દુગુર્ણના સેવક રાક્ષસ કર્મ કરનારાઓ છે તેઓને નાશ થાય એવી રીતે મેગ્ય કર્મ કરવાની જરૂર છે. રાગદ્વેષાદિ દુર્ગુણને નાશ કરવામાં જેઓ પ્રવૃત્તિ કરે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણે ખીલવવા પ્રવૃતિ કરે છે તેઓ ધામિકમનુષ્ય છે. જે જે અંશે સાવદ્ય વિચારે અને સાવદ્યાચારો ટળે છે તે તે અંશે મનુષ્ય ધર્મી બને છે એમ વિશાલદષ્ટિથી વિચારીને ધામિકમનુષ્યના અરિતત્વમાટે આપત્તિકાલમાં પણ અપવાદમાર્ગથી જે જે તતતું સમયાનુસારે ગ્ય જણાય તેનાં કર્મોથી પ્રવર્તવું જોઈએ. અનેક વ્યક્તિના સમૂહબળથી ધામિકમનુષ્યનું સદા અસ્તિત્વ રહે એવા પ્રબ કરવા જોઈએ. અમુક ધર્મના અભિમાનમાત્રથી અન્ય ધર્મીએની સાથે રક્તપ્રવાહ કરવાની જરૂર નથી. આ વિશ્વમાં આ કાલમાં પંચમહાવ્રતધારકત્યાગમુનિવરે સાધ્વીઓ વગેરે મુખ્યતાએ ધામિક ગણાય છે માટે નાસ્તિકના બળસામે તેઓનું અસ્તિત્વ કાયમ રહે એવા ઉપાયને આદરવા જોઈએ. શ્રીકાલિકાચાર્યે સરસ્વતી સાધ્વીને માળવાના ગર્દભભિલ્લ રાજાના પાસમાંથી છોડાવવા જે ઉપાય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy