SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭૩ માનું નથી. આત્મજ્ઞાનિ મહાત્માઓની ચરણ સેવા કરીને સેવાધર્મનાં રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન કરી ધર્મની સર્વત્ર વ્યાપકતા પ્રચારવા જેઓ સેવા કરે છે તેઓ ધમની વ્યાપકતા કરી શકે છે. સર્વજીપકારિકા સેવા એજ ઉત્તમ વ્યવહાર ધર્મ છે એ ધર્મનું જેટલું વર્ણન કરીએ તેટલું ન્યૂન છે. ઔદાર્યદષ્ટિથી ઉદાર સેવા કરી શકાય છે. દષ્ટિમાં ઉદારતા હોય છે તેજ સેવા કરવામાં ઉદાર પ્રવૃત્તિ થાય છે. ઉદાર દ્રષ્ટિવાળો ધર્મ. વિશ્વમાં વ્યાપક બને છે અને સંકુચિત દષ્ટિવાળ કેઈપણ ધર્મ, વિશ્વમાં સંકુચિતતાને પામી અને મરણ શરણુતાને પ્રાપ્ત કરે છે. જેના વિચારમાં અને આચારમાં ઉદારતા-વિશાલતાવ્યાપતા નથી તે ધર્મ ગમે તે એક વખતે પ્રકાશિત થએલે હોય છે તેપણું અને તે નાશ પામે છે. સેવાધર્મમાં ઔદાર્યદષ્ટિની આવશ્યક્તા રહે છે. દાર્યદષ્ટિથી નિષ્કામ સેવા પ્રવૃત્તિ કરનારાઓ આ વિશ્વમાં સર્વ શુભ ધર્મોને પ્રચાર કરીને સર્વત્ર શુભ ધર્મીઓને ઉત્પન્ન કરી શકે છે. નિરહંવૃત્તિથી સેવાધર્મ બજાવનારાઓ ધર્મની વ્યાપકતા જેટલી કરી શકે છે તેટલી અન્ય કઈ કરી શકતું નથી. વીતરાગ પરમાત્મા મહાવીરદેવે સર્વ જીવોના ઉદ્ધારાર્થે જૈન ધર્મનો ઉપદેશ આપીને વિશ્વમાં સેવાધર્મની ગગા વહેવરાવી છે તેનાથી વિશ્વમાં કઈ અજાણ્યું નથી. સેવાધર્મનાં સૂત્રો કાલકાલની સ્થિતિ પ્રમાણે આજુબાજુના સંગના અનુસારે પરિવર્તિત થયા કરે છે અને તેમાં અનેક સુધારાવધારા થાય છે. પરંતુ સર્વ ધર્મને મૂળ ઉદ્દેશ સર્વ જીવોનાં દુખે ટાળવાં એજ રહે છે. અએવ સેવાધર્મ ભક્તિધર્મમાં જ્ઞાનદર્શનચારિત્ર ધર્મ અને આત્માના શુદ્ધધમોદિ અનેક ધર્મની રક્ષા માટે આત્માણ કરવું જોઈએ. ભવ્યમનુષ્યએ યાદ રાખવું કે જ્યાં ધર્મ હોય છે ત્યાં જય થાય છે અને અધર્મથી પરાજય થાય છે. અધમેથી કદાપિ કેઈને ક્ષણ માત્ર જય થયે એમ દેખાય છે પરંતુ અને તે પરાજય માલુમ પડે છે. સ્વધર્મ સમાન આ વિશ્વમાં કઈ જ્યનું સ્થાન નથી. આ વિશ્વમાં ધર્મની રક્ષા કરવા સમાન અન્ય કેઈ કાર્ય નથી. ધર્મરક્ષણ માટે જે કરવું તે હોય તે ઉત્સર્ગકાલ અને આપત્તિકાલથી કરવું જોઈએ, આપત્તિકાલમાં આપત્તિકાલના સંયોગને ૧૧૦ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy