SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવું જોઈએ. સંકુચિતદષ્ટિથી ધર્મકર્મોની પ્રવૃત્તિમાં સંકુચિતતા આવે છે અને તેથી એકાન્તધર્મક્રિયામાં અમુક આગ્રહે બંધાવાનું થાચ છે. વર્તમાનકાલમાં સર્વમનુષ્યોને અનુકુલ થઈ પડે એવા પ્રબંધેથી જે ધર્મકર્મસુધારકે પ્રયત્ન કરે છે તે તેથી સમાજની દેશની ઉન્નતિ થાય છે અને અન્ય જડવાદી નાસ્તિકના અળ સામે સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકાય છે. પ્રાચીન ધર્મકર્મો અને વર્તમાન જમાનાના લેકોના વિચારવાતાવરણની પરિસ્થિતિને વિચાર કરીને ધર્મરક્ષક કર્મો કરવામાં આવે છે તે તેથી વર્તમાનમાં અને ભવિષ્યમાં ઉન્નતિના માર્ગે નિર્મલ વહ્યા કરે છે. ધર્મરક્ષકદ્રષ્ટિએ જેઓ ધર્મકસુધારકે બને છે, તેઓ આત્માની સર્વ શક્તિને અને સમાજની સંધની સર્વ શક્તિને ખીલવી શકે છે. ધર્મકર્મસુધારા વિના સમાજમાં ધર્મસંપ્રદાયમાંથી મલિનતાને નાશ થતું નથી. ધર્મકર્મસુધારકોને અનેકવિપત્તિ સહન કરીને ધર્મકર્મોમાં સુધારા કરવા પડે છે. તેનામાં પૂર્વે કથવામાં આવ્યા એવા કર્મયોગીઓના ગુણે જે હોય છે તે તેઓ સમાજમાં, સંઘમાં, કેમમાં પડેલા સડાને નાશ કરી શકે છે. અદ્યપર્યત જે જે ધર્મકર્મસુધારકો થયા હોય તેઓનાં જીવનચર્તિ અને તેઓએ કરેલાં કાર્યોને અનુભવ કરવો જોઈએ કે જેથી ધર્મકર્મસુધારકોને અનેક દિશાનું જ્ઞાન થાય. સામાજિક પ્રબજોમાં સદા પરિવર્તને થયા કરે છે. ધર્મના સિદ્ધાંતોની રક્ષા થાય અને ધર્મકર્મોની રક્ષા થાય, તથા પ્રાચીન સત્યને નાશ ન થાય, તથા વર્તમાનમાં જે પ્રગતિકર ઉપાયે હોય તેને આદર પણ થાય એવી રીતે ધર્મકર્મસુધારકેએ ધર્મરક્ષકકર્મો કરવાં જોઈએદીર્ઘદ્રષ્ટિ વિના અને પરિપૂર્ણ અનુભવ વિના ધર્મકર્મસુધારક બની શકાતું નથી આત્મજ્ઞાનીએ સર્વ પ્રકારને અનુભવ ગ્રહીને દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ધર્મકર્મોમાં સુધારે વધારે કરી શકે છે. સામાજિક પ્રબંધનું ત્રણ કાલની દષ્ટિએ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કમગીઓએ ધર્મરક્ષાના કર્તગકાર્યોમાં સર્વ વાર્પણ કરવું જોઈએ. જડવાદી નાસ્તિકના પ્રબલ હુમલાઓથી ધર્મની રક્ષા કરવી જોઈએ. હાલ આર્યાવર્તમાં પાશ્ચાત્ય દેશીય જડવાદીઓના વિચારવાતાવરણને ફેલાવે થવા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy