SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશમાં, સમગ્ર વિશ્વમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ શુદ્ધધર્મની ઉત્પત્તિ કરાવનાર સાધુઓની અને સાધ્વીઓની સેવા ભક્તિ થવી જોઈએ. નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મમાં સાધુએ તલ્લીન રહે છે અને વિશ્વને કુટુંબ સમાન ગણીને અનેક આધ્યાત્મિક તને સર્વત્ર પ્રચાર કરે છે. આધ્યાત્મિક શક્તિઓને પ્રકાશ કરનારા સાધુઓ છે. પરમાત્માએના ઠેઠ પાસેના સાધુઓ છે. આ વિશ્વમાં એક્ષ સુખની ઝાંખીને અનુભવ કરનારાં મસ્તસાધુઓ છે. અનેક પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપનારા સાધુઓ છે. વેદ, આગમ, બાઈબલ, પુરાણ આદિ ધર્મશાસ્ત્રોની જીવતી મૂર્તિઓ સાધુઓ છે. જેઓના હૃદયેમાંથી ભૂતકાળમાં અનેક શાસ્ત્ર નીકળ્યાં, વર્તમાનમાં નીકળે છે અને ભવિષ્યમાં નીકળશે એવા મહાત્મા સાધુઓ વિના દુનિયામાં અન્ય જે રત્ન ગણાય છે તે અસત્ય છે. સત્ય સ્વાતંત્ર્ય ભક્તાઓ સાધુઓ છે. મસ્તસાધુઓ કેઈની પરવા વિના શુદ્ધપ્રેમથી વિશ્વજનેને સત્ય વિચારે જણાવે છે. તેઓ સમાધિ ધ્યાનમાં રહીને પરમાત્માને સાક્ષાત્કાર કરી અલમસ્ત બને છે. જડવાદીઓ, નાસ્તિક, સાધુઓના સંઘને-સમુદાયને નિરૂપયેગી ગણે છે અને સાધુસમુદાય તરફ તિરસ્કારની લાગણીથી જુવે છે છતાં સાધુઓ મત્રી ભાવથી તેઓને દેખે છે અને તેઓને પ્રતિબંધવા જેટલા ઘટે તેટલા ઉપાસેથી પ્રવૃત્તિ કરે છે. આ વિશ્વમાં પરમાર્થની મૂતિ અને જીવતા દે, સાધુઓ છે. તેઓ વિશ્વને અ૫હાનિ અને મહાલાભ સમર્પી શકે છે. મનુ ના હૃદયેમાં સાધુઓની સત્તા છે ત્યારે મનુષ્ય પર બાહ્ય સત્તાપ્રવર્તક રાજાએ શહેનશાહે છે. સાધુઓના સમુદાયમાં જેને સાકાર પરમાત્મવ ન દેખાતું હોય તે નિરાકાર૫રમાત્મપદ પ્રાપ્ત કરવા શક્તિમાન થતું નથી. સાધુઓની હાય લેવાથી દેશનું કેમનું અને સમાજનું શ્રેય થઈ શકતું નથી. રાજાઓને અને મનુષ્યને સમાન ગણુને તેઓને આધ્યાત્મિક જ્ઞાનના સમર્પનાર સાધુઓ છે. સાધુઓના જે આધ્યાત્મિક ઉગારે નીકળે છે તે પરંપરાપ્રવાહે ધર્મશાસ્ત્રી તરીકે વિશ્વમાં પ્રવર્તિ છે. પરમાત્માના વિશ્વાસ પર સર્વસમર્પણ કરનારા સાધુઓ છે માટે તેઓની સેવા કરવી જોઈએ અને અન્નદાન, For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy