SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ગુરૂભક્તનું લક્ષણ નથી. ગીતાર્થગુરૂમહાત્માની આજ્ઞામાં મારી સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે, તેમની આજ્ઞાનુકુલવિચારેનું અને આચારેનું પ્રવતન થવું એ મારે ધર્મ છે. એવું જે ભક્ત માને છે તેજ ગીતાર્થગુરૂને સત્યભક્ત છે. પૂર્ણ શ્રદ્ધા બળે ગુરૂના વિચારેની સ્વાત્માપર હિપનેટીઝમની પેઠે અસર થાય છે અને તેથી કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી વિજય મેળવી શકાય છે. ગુરૂની પૂર્ણ શ્રદ્ધાથી આત્મામાં દૈવીશક્તિ ખીલે છે અને જે દુશક્ય કાર્યો છે તે પણ સુશક્ય થઈ શકે છે. સદ્દગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવર્તનાર સત્ય કમૅગી બને છે. કહ્યું છે કેसर्वधर्मान् परित्यज्य, मामेकंशरणं व्रज, अहंत्या सर्व पापेभ्यो, मोक्षશિધ્યાનમા શુરા ભગવદ્ગીતાના આ કલેકને ગુરૂપર ઉતાર જોઈએ. શુદ્ધાત્મા ગુરૂ તેજ કૃષ્ણ છે. આત્મજ્ઞાની ગુરૂ કર્થ છે કે શિષ્ય તું સર્વધર્મોને ત્યાગ કરીને મારા શરણે આવ, સર્વ પાપોથી હવે હું મુકાવીશ, ગીતાર્થગુરૂને મન સોંપીને તથા મનના સર્વ રાગદ્વેષરૂપ અશુદ્ધધર્મોને ત્યાગ કરીને શુદ્ધાત્મા ગીતાર્થગુરૂના શરણે જવું જોઈએ. ગીતાર્થ શુદ્ધાત્માગુરૂના શરણે જવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સર્વપાપથી મુક્ત થવાય છે. ઢોળાય રથવા એ ગાથાનું મનન કરી ગૃહસ્થાએ ત્યાગી એ ગીતાર્થગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. આત્મજ્ઞાની ગુરૂમહાત્માના શરણાશ્રમી થતાં તેઓ શિષ્યને સર્વ પાપોથી મુકાવે છે એમ ઉપર્યુકત લેકને ભાવાર્થ ખેંચીને શ્રી સદગુરૂને સર્વ અર્પણ કરીને તેમના આત્મારૂપ બનવાથી પરમાત્માને અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. સર્વ પ્રકારના આચારેને અને વિચારેને સુધારે કરીને ગુરૂશ્રી ભક્તને ઉત્તમ બનાવે છે. અત એવ આત્મજ્ઞાની ગુરૂનું શરણ અંગીકાર કરી ગુરૂના આત્મારૂપ બનવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાબલથી દ્રોણાચાર્યની મૃત્તિકાની મૂર્તિ બનાવીનેએક ભિલે અર્જુન કરતાં અધિક ધનુવિધાને અભ્યાસ કર્યો હતે. પૂર્ણ શ્રદ્ધાબલથી ગમે ત્યાં ગુરૂને સાક્ષાત્કાર કરીને આત્મશક્તિને વિકાસ કરી શકાય છે. પૂર્ણ શ્રદ્ધાબલથી શ્રદ્ધાવાની સહાય કરવામાં દેવતાઓ આત્મભેગ આપે છે. પૂર્ણ શ્રદ્ધાબલથી જે આત્મજ્ઞાનીગુરૂને સેવે છે તે આત્મતિને અવશ્યમેવ સાક્ષાત્કાર કરીને વિશ્વજનને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy