SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪૩ પણ છેડે ઘણે અનુભવ પ્રાપ્ત થયેલ છે, તેથી મારે એ નિશ્ચય થયે છે કે, કોઈને છળ કરે અથવા કેઈ અબળાને ડાકિની કહીને જીવતી જ બાળી મૂકવી, એવા પ્રકારના અત્યાચારને કેઈપણ ધર્મે પિતાની અનુમતિ આપેલી નથી. એવા અત્યાચારોમાં લેકેની જે પ્રવૃત્તિ થઈ હતી. તેનું મૂળ કારણ ધર્મ નથી, કિંતુ તે સમયની રાજકિય પરિસ્થિતિ જ એ ભયંકર અત્યાચારના મૂળ કારણરૂપ હતી. હવે એ રાજકીય પરિસ્થિતિ જે ધર્મના નામતળે પસાર થઈ ગઈ હોય, તે તેમાં અપરાધ કેને વારૂ ? જે મારે મહાત્મા છે, તે જ માત્ર એક સત્ય મહાત્મા છે,” એમ એક મનુષ્ય જે વેળાએ બેલે છે, તે વેળાએ તે સર્વથા અસત્ય વાજ કરે છે, એમ કહેવામાં લેશ માત્ર પણ પ્રત્યવાય નથી. એમ બેલનારને ધર્મના વિષયમાં ધર્મના મૂળાક્ષરેને પણ પરિચય થયેલો નથી, એમ અવશ્ય તમારે સમજી લેવું. ધર્મકેવળ વ્યર્થ વિવાદને કિંવા કેવળ ઉત્પત્તિ તેમજ કેવળ બુદ્ધિગમ્ય માર્ગને વિષય નથી; કિંતુ તેતે અંતરાત્માના અત્યંત ગઢભાગમાંના પ્રત્યક્ષ અનુભવને જ વિષય છે. પરમેશ્વરને જે પ્રત્યક્ષ અનુભવ કિવા સાક્ષાત્કાર, તેજ ધર્મ છે. જે પરમેશ્વરના અંતર્ગતમાં ખરેખર જ તમારે પ્રવેશ થયેલ હોય, તે પરમાત્મા અને તેનાં સર્વ બાળકો સાથે તમારે પરિચય થયેલે હજ જોઈએ. પરમેશ્વરના ગૃહમાં જવા છતાં તેનાં બાળકોને પરિચય ન થાય, એ કદાપિ બની શકે એમ છે ખરૂં કે તેના બાળકને પરિચય ન થાય, એ કદાપિ બની શકે એમ છે ખરું કે? તેનાં બાળકને પરિ. ચય ન હ, એને અર્થ કેવળ એટલેજ કરી શકાય કે, પરમેશ્વરના અંતમાં તમારે પ્રવેશ થય જ નથી. પરમેશ્વરના અવતાર કઈ પણ યુગમાં અને કઈ પણ દેશમાં થયેલા હોય, તેપણ મૂળતઃ તે સર્વ અવતારની એક વાયતાજ છે, એમજ આપણું જોવામાં આવ્યા કરે છે. તેમના અંતરાત્મા સાથે આપણે સત્ય પરિચય થતાં, તે સર્વ અવતારમાં સર્વથા અભેદભાવને જ અવિકાર વ્યાપી રહેલો આપણા જેવા અને જાણવામાં આવી શકે છે. જે જે વેળાએ આપણે એવા મહાત્માઓ સાથે સમાગમ થાય છે, તે તે વેળાએ તેમના સુધા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy