SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪૧ મારા પિતાથી બાહ્ય હોઈ શકે તેમ નથી જ, એ સ્પષ્ટ જ છે, અને જે મારા અસ્તિત્વવિષે કહેવામાં આવે, તે તે કેવળ એકજ શરીરથી બંધાયેલું છે, એટલે તેમાંની કલ્પનાઓ કેટલા પ્રમાણમાં વિશાળ થઈ શકે, એ સ્પષ્ટ હોવાથી એ વિષેને જૂદે હિસાબ કરવાનું કાંઈ પણ પ્રજન નથી. પિતાના શરીરથી બાહા ભાગમાં ઉયન કરવાનું સામર્થ્ય કેટલામાં છે વારૂ! આપણામાંના એકેમાં એ સામર્થ્ય નથી. એ મારે દઢ નિશ્ચય છે. આપણા પ્રચલિત આયુષ્યક્રમમાં આપણને જે કાંઈ પણ પ્રેમાંશને અનુભવ થાય છે, તેથી બાહ્ય ઈશ્વરીય પ્રેમની કલ્પના આપણાથી કરી શકાય એમ છે ખરું કે ? જેને આપણને કદાપિ અનુભવ થયેલ ન હોય, તેવી કઈ પણ વસ્તુ વિષેની કલ્પના આપણાથી કરી શકાય, એ કદાપિ શક્ય છેજ નહિ. અર્થાત્ પરમેશ્વર વિષેની કાંઈ પણ કલ્પના કરવાને હું ગમે તે પ્રચંડ પ્રયત્ન કરું તે પણ મારે તે પ્રયત્ન વ્યર્થ જ થવાને, એમાં લેશમાત્ર પણ સંશય નથી. પ્રેમ, દયા, ક્ષમા અને પવિત્રતા ઈત્યાદિ વસ્તુઓ મહાત્માઓના હૃદયમાં મને પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તેમના વિષે કેવળ કલ્પના કરીને જ મારે મારા મનને રીઝાવવું પડતું નથી. એ સર્વ ભાવનાઓ તેમનામાં પ્રત્યક્ષરૂપે અવતરેલી મારા જેવામાં આવ્યા કરે છે. આમ હેવાથી જે તેમને પ્રત્યક્ષ પરમેશ્વર માનીને હું તેમનાં ચરણોમાં સર્વથા લીન થઈ જાઉં, તે તેમાં આશ્ચર્ય શું હોઈ શકે વારૂ? ગમે તે હોય, પરંતુ તેની સર્વથા આવીજ અવસ્થા થઈ જવાની. અમુક એક મનુષ્ય પિતાના મુખથી ગમે તેવે વખડાટ કરતે હોય, તે પણ મહાત્માનાં દર્શનને પ્રસંગ આવતાંની સાથે તેની સ્થિતિ આવા પ્રકારની થઈ જાય છે. એમાં તલમાત્ર પણ શંકા નથી. ઢાના મેટા મેટા ગપાટા તે કાંઈ પ્રત્યક્ષ કૃતિ નથી. પરમેશ્વર અને તેનું નિરાકારત્વ ઈત્યાદિ અનેક વિષય વિષે કેવળ વાદવિવાદ કર્યા કરે અને ગમે તેમ અકયા કરવું તે ઠીક છે, પરંતુ એ અવતારી પરમેશ્વરેજ આ જગના સત્યપરમેશ્વર છે. જગત્માંનાં સર્વ છે અને સર્વ માનવ વિશે એમની પૂજા કર્યા કરે છે. મનુષ્યના મનની કાટના જેવી છે તેવી ને તેવી જ રહેશે. ત્યાં સૂધી એ અવતારી પુરૂ ૧૦૬ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy