SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩૮ હોય છે. અર્થાત્ એવી શક્તિના સાહાસ્ય વિના કેવળ અશક્ત શબ્દોની શી મહત્તા હેઈ શકે વારુ? પરંતુ તમારા ભાષણને પૃષ્ઠ બળ મળતું હોય, તે તમે ગમે તેવી ભાષાને પ્રવેગ કરે, અને કેઈપણ પ્રકારની વાક્યરચના કરે, તે પણ તેનું ઉત્કૃષ્ટ પરિણામ જ થાય છે. તમે વ્યાકરણ શુદ્ધ ભાષા બોલે છે કે નહિ અથવા તે તમારી ભાષા સુંદર છે કે નહિં? એવા એવા પ્રશ્નનું ત્યાં મહત્ત્વજ શું છે વારુ? તમારે જે કાંઈ કહેવાનું છે તેમાં વાસ્તવિક તાત્પર્ય શું છે, એકમાત્ર મહત્વને પ્રશ્ન છે, અને અન્ય આનુષંગિક વિષચેનું ત્યાં લેશ માત્ર પણ મહત્ત્વ નથી. જો તમારી પાસે સત્ય તત્વ હોય, તે તેને તમે ગમે તેવા વાંકાચૂકા રુપમાં આપે, તેની કાંઈ પણ ચિંતા નથી, કારણકે અને પ્રશ્ન લેશ માત્ર પણ મહત્વને નથી જે કાંઈપણ દાન આપવું હોય તે તે આપવાને એક માત્ર માર્ગ શબ્દજ છે અર્થાત્ અનેક પ્રકારના માર્ગોમાંને એ પણ એક માર્ગ છે. કેવળ મનને ધારણ કરવાથી પણ પિતાનું વિશિષ્ટ કાર્ય સિદ્ધ થવાનો સંભવ હોય છે. સંસ્કૃતમાં નિમ્ન લિખિત અર્થને એક કલેક છે; “સદ્ગુરુને મેં વૃક્ષતળે બેઠેલા જોયા. તેમનું વય સેળ વર્ષનું હતું. તેમની હામે તેમને શિષ્ય બેઠે હતું અને તે એંસી વર્ષની વયને હતે. સદ્ગુરુ સર્વથા સ્તબ્ધ થઈને બેઠા હતા અને એ જ માર્ગ તેમનું અધ્યાપન ચાલ્યા કરતું હતું એજ માર્ગે ( સ્તબ્ધતાથીજ ) તેમણે શક્તિ હૃદયની સર્વશંકાઓનું નિવારણ કરી નાખ્યું. ” કેટલીકવાર એ મહાત્માઓ સર્વથા મફવૃત્તિમાં રહેનારા હોય છે. તથાપિ કેવળ મન પર આઘાત કરીને તેઓ સત્યનો પ્રસાર કરતા હોય છે. લેકશિક્ષણનું તેમનું કાર્ય કેવળ મનદ્વારાજ થયા કરે છે. એ કાર્યની સિદ્ધિ માટે જ તેમને અવતાર થએલે હોય છે. પરમેશ્વરને સંદેશ માનવજાતિને પહોંચાડી દે એજ તેમનું કાર્ય હોય છે. તેઓ શાન્તતાથી આજ્ઞા કરતા હોય છે. અને આપણે તેમની તે આજ્ઞાને માન્ય કરતા હોઈએ છીએ. “ જાઓ અને મેં તમને જે કાંઈ પણ કહેલું છે તે તમે જઈને સમસ્ત જગતને કહી સંભળાવે અને તમને મેં જે કાંઈ પણ આજ્ઞા આપી છે, તે આજ્ઞાઓને પાળવાનું તેમને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy