SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨૭ જ્ઞાનની મુખ્યતા કરે છે અને જ્યાં ક્રિયાની આવશ્યક્તા હોય છે ત્યાં ક્રિયાની પ્રધાનતા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થી પ્રત્યેક મનુષ્યને તેના અધિકાર પ્રમાણે ધર્મ બતાવે છે અને જે કાલમાં જેની માનશ્યક્તાથી જે ઉન્નતિ કરવાની હોય છે તેનુ પ્રાધાન્ય કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થીના વિચારોમાં અને આચારોમાં પરસ્પર સાપેક્ષતા સમાયલી હોય છે. તેથી તેના સંબંધી અજ્ઞાનીમનુષ્યને કાઈ જાતની શંકા પડે છે તે તે કર્તવ્યાશય અને વિચારાશયથી દૂર કરે છે. આત્મજ્ઞાની મહાત્માએ સર્વધર્મોની સાપેક્ષતાને પરસ્પર શ્રૃંખલાના અંકાડાઓની પેઠે સાંધી લેછે તેથી વિશ્વમાં કોઈ પશુ ધર્મના સત્ય રહસ્યને અન્યાય મળતો નથી. આત્મજ્ઞાની ગીતાર્થીદ્વારા ધર્મનું અસ્તિત્વ સ'રક્ષી શકાય છે અને ધર્મનું તથા ધર્મીઓનુ સ'રક્ષણ કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થમહાત્માઓની દૃષ્ટિમાં સત્યને અનંતસાગર તરી આવે છે. તેથી તેઓ વિશ્વવતિ મનુષ્યોને સત્યના પૂર્ણ લાભ અર્પવા શક્તિમાન થાય છે. વિશ્વમાં જેટલી શુભેાપમાઓ છે તે સર્વે ખરેખર આત્મજ્ઞાની ગીતાર્થીને આપી શકાય છે. ધર્મની સ્થાપનાર્થે અને ધર્મોદ્ધારાર્થે આત્મજ્ઞાની ગીતાર્થીના અવતારી થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થો ઉત્સર્ગ માર્ગથી અને અપવાદ માર્ગથી ધર્મ પ્રવર્તાવી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્થી ધર્મનાં અપૂર્વ રહસ્યોને પ્રકટ કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થી વિના વિશ્વજનને ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. આત્મજ્ઞાનીઓની સર્વ દ્રષ્ટિચે ખુલી થએલી હોય છે તેથી તેઓ સર્વ દેશીય સર્વ વ્યાપક વિચારાને અને પ્રવૃત્તિયેાને પ્રકાશી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્થમહાત્માઓની આજ્ઞાથી સર્વ ધર્મકર્મ પ્રવૃત્તિ કરતાં આત્મશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને અનેક જીવેાના ઉદ્વારમાં આત્મભાગ આપી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થીની સેવાથી જે આનુભાવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું વર્ણન થઈ શકતું નથી. આત્મજ્ઞાની મહાત્માએ જ ઈશ્વરની પ્રતિકૃતિયા છે, તેમની આજ્ઞા વિના પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. આત્મજ્ઞાની ગીતાર્થ મહાત્માઓની સેવાથી અનંતભવનાં પાપો ટળે છે અને એ ઘડીમાં છેવટે પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. આત્મજ્ઞાની મહાત્માના For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy