SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે છે. અન્તરાત્મા સાધુઓ વ્યવહાર અને નિશ્ચયથી સધર્મ કર્મોને સેવે છે. બાહ્ય નિમિત્ત કારણ પ્રવૃત્તિને વ્યવહારપ્રવૃત્તિ કથવામાં આવે છે અને ઉપાદાનરૂપશુદ્ધાત્મ પરિણતિરૂપ શુદ્ધકિયાને નિશ્ચયપ્રવૃતિ કથવામાં આવે છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થ અને દેશવિરતિગ્રહસ્થ વ્યવહાર અને નિશ્ચયથી સધર્મ પ્રવૃત્તિને સેવે છે, વ્યવહારધર્મકર્મનો પરિહાર કરવાથી વિશ્વવતિ સર્વ નીતિ આદિ ધર્મને નાશ થતાં ધર્મની મહાપ્રલય દશા થાય છે અને નિશ્ચયશુદ્ધધર્મપ્રવૃત્તિને નાશ કરતાં વિશ્વમાં સર્વ જીવોના હૃદયની શુદ્ધતાને નાશ થાય છે. વ્યવહારધર્મકર્મ વિના વિશ્વવતિ મનુબેને એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. નિશ્ચય તથા કથિત ધર્મકર્મ વિના કેઈ પણ મુક્તિ પામ્યું નથી, પામતે નથી અને ભવિષ્યમાં પામશે નહિ એ નિયમ હોવાથી હરએ અને સાધુઓએ સ્વાધિકારે વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મ કર્મોને કરવાં જોઈએ. અન્તરાત્માએ સદ્ધર્મનિવૃત્તિ બળે મન, વચન અને કાયાની પવિત્રતા સંરક્ષી શકે છે અને પાપ અને આસવ તત્ત્વને પરિહાર કરી તે સંવર નિર્જરા અને વ્યવહારથી પુણ્ય તત્ત્વનું સેવન કરે છે. મુસભાની ગ્રન્થમાં શયતાનને એક ખુદાને પ્રતિસ્પર્ધી ક છે એવા શયતાનને જેને કર્મ કળે છે. અને આત્માને ખુદા કહે છે. વેદાન્તી શયતાનને માયા યાને પ્રકૃતિ કથે છે તેને ન્યાય કરવા માટે અન્તરાત્માઓ અપ્રમત્ત રહે છે. સર્વ રાગદ્વેષ ક્રિયાઓ એજ ભાવકર્મ છે. ભાવકર્મને ક્ષય કરવાથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ પ્રકૃત્તિઓને સત્વર નાશ થાય છે. જેનદષ્ટિએ કૃષ્ણ શ્રેણિક જનકવિદેહી વગેરે અન્તરાત્માએ હતા. તેઓએ ધર્મનું જ્ઞાન કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ખાસ લક્ષ્ય પ્રગટાવ્યું હતું. આમાનું શુદ્ધસ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ આ સંસાર અસાર લાગે છે અને તેથી જ્ઞાનગભિત વૈરાગ્યબળે સર્વ પ્રકારની મેહાસક્તિનો નાશ કરી શકાય છે. અન્તરાત્માએ જ્ઞાનગભિત વૈરાગ્ય બળે સ્વાત્માને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. જેમાં સ્વાત્માને ઉદ્ધાર કરવા માટે પરમેશ્વરની પ્રાર્થનાઓ કરે છે અને પિતે કંઈ સગુણેની For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy