SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૫ પામે છે તે કમેને મનુષ્યએ નિશ્ચય અને વ્યવહારથી કરવાં જોઈએ. વિવેચન––સમસ્ત વિશ્વવર્તિ મનુષ્ય સ્વાત્માને પરમાત્મપદ મળે એજ મુખ્ય ઈચ્છા ધારણ કરે છે. પ્રભુની પાસે જવું. પરમ બ્રહ્મ થવું. સિદ્ધ થવું. વિષ્ણુ ધામમાં જવું. ખુદાને પામવે. ગેલકમાં જવું. નિર્વાણ પદ પામવું. એવાં અનેક પદો પામવાને સાર એ છે કે આત્મા પિતે પરમાત્મા દશાને પામી અનન્ત સુખમય બને કે જેથી જન્મ જરા મૃત્યુનાં દુઃખ ટળી જાય. આત્માની પરમાત્મા દશા કરવી એજ આર્યોને મુખ્ય સિદ્ધાંત છે. સર્વ કર્મ બંધનોથી વિમુક્ત થતાં આત્મા સ્વયં પરમાત્મપદને પામે છે. સ્ત્ર શર્મા મોક્ષ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય નામ, ગેત્ર અને અન્તરાય એ અષ્ટકર્મને સમૂલ નાશ થતાં આત્મા સ્વયં પરમાત્મા થાય છે. રજોગુણ અને તમે ગુણને મેહનીય કર્મમાં સમાવેશ થાય છે. ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ એ ત્રણ્ય કર્મને બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મના બંધ, સત્તા, ઉદીરણ અને ઉદય એ ચાર ભેદ પડે છે. સંચિત કર્મને સત્તામાં સમાવેશ કથંચિત્ થાય છે. કિયમાણને બંધ હેતુઓમાં કથંચિત્ સમાવેશ થાય છે. પ્રારબ્ધને ઉદયમાંભોગાવલી કર્મમાં સમાવેશ થાય છે. જૈનમાં બહિરાત્માનું જે લક્ષણ છે તેને વેદાન્તીજીવનું લક્ષણ કથંચિત મળતું આવે છે. પરમાત્મામાં પરમ બ્રહ્મને સમાવેશ થાય છે. વેદાંત કથિત વિવેકને કથંચિત્ સમ્યકત્વ દર્શનના હેતુઓમાં સમાવેશ થાય છે. ઉપનિષદોમાં પ્રતિષ્ઠાદિત અધ્યાત્મ જ્ઞાનને સાપેક્ષ દષ્ટિએ જેનાગમ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ઉપાસના માર્ગને કથંચિત્ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સમાવેશ થાય છે. વેદાંત પ્રતિપાદિત સદાચારને ચારિત્રમાર્ગમાં સમાવેશ થાય છે. વેદાન્ત પ્રતિપાદિત કેવલાદ્વૈતભાવનાને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સમાવેશ થાય છે. વિશિષ્ટાદ્વૈતને આત્મા અને પુદગલ એ બે દ્રવ્યમાં સમાવેશ થાય છે. દ્વૈતાદ્વૈત સિદ્ધાંતને કથંચિત્ સાપેક્ષ દષ્ટિએ અનેકાન્ત આત્મસ્વરૂપમાં સમાવેશ થાય છે. શુદ્ધાદ્વૈતને કાલેક જ્ઞાયક કેવલ શુદ્ધાત્મજ્ઞાનમાં સ્યાદ્વા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy