SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૮ અને પૂર્વદેશના લોકેની ખાવાની પીવાની ક્રિયાઓમાં કંઈક કંઈક ભેદ વર્તે છે. દરેકના રીતરીવાજે જુદા જુદા પ્રકારના હોય છે. રાજ્યના કાયદાઓ પણ પરસ્પર વિરૂદ્ધ ભિન્ન હોય છે. નીતિની ક્રિયાઓમાં પણ અમુક અમુક દેશકાલાનુસારે ભેદે વર્તે છે. મનુની નીતિ, અહંનીતિ, કુરાનની નીતિ અને પાશ્ચાત્ય રાજ્યનીતિયે અમુક અમુક ભેદો પડે છે, સર્વની એક સરખી નીતિ મળતી આવતી નથી. વિશ્વમાં મનુષ્ય મનુષ્ય પ્રતિ વિચાર અને ક્રિયામાં કંઈક કંઈક ભેદ તો હોય છેજ. સર્વ મનુષ્ય સ્વસ્વમાન્ય ક્રિયાઓને પ્રશસે છે અને અન્યોની ક્રિયાઓને અસત્ય માને છે. સર્વ ધર્મના સાધુઓમાં, સન્યાસીઓમાં, ધર્માચાર્યોમાં, ગોમાં, યેગીઓમાં, વેષાદિભેદે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે જ અને તેથી વિશ્વવતિમનુષ્યમાં એક સરખે વિચાર અને એક સરખે આચાર પ્રવર્તત નથી. વિશ્વવર્તિ મનુષ્યમાં ભિન્ન ભિન્ન આચારેનું વૈવિધ્ય કદિ ટળ્યું નથી, ટાળવાનું નથી અને ટળશે નહિ, એક ધર્મમાં એક ગચ્છમાં પણ આચારવિચારના ભેદ તે પ્રકટવાના. ધર્મવ્યવહારોમાં અને લૈકિક વ્યવહારોની કિયાઓના ભેદોમાં પરસ્પર વિરૂદ્ધતા અવલકવાના કરતાં પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓમાં કઈ કઈ દષ્ટિથી કયા કયા ક્ષેત્રકાલાનુસારે સત્યતા આદેયતા રહેલી છે, તેને વિચાર કરવાની પ્રથમ જરૂર છે. ક્રિયાઓની વિવિધતામાં વિવિધ સત્યતા, ઉપગિતા, અવલકવાથી પરસ્પરમાં એકેક દષ્ટિબિંદુથી કલ્પાયલી અસત્યતાને સહેજે નાશ થઈ શકે તેમ છે. અનેક ધાર્મિક ક્રિયાઓની વિભિન્નતા દેખાય છે તેમાં અલ્પજ્ઞાન કારણભૂત છે. ધાર્મિકવ્યાવહારિકકિયાઓના ભેદે જે જે અવલેકાય છે તેના કારણભૂત અનેક વિચારે છે. દેશકાલાનુસારે જે જે મનુષ્યના હદયમાંથી જે જે ક્રિયાઓના વિચારે પ્રગટે છે તેમાં સાપેક્ષદષ્ટિએ સત્યતા રહેલી હોય છે, પરંતુ તે સર્વ યિાઓ એકમનુષ્ય માટે નથી. અનેક જ્ઞાનદષ્ટિથી ક્રિયાઓ કેવી રીતે ઉદ્ભવી ? તેને અનુભવ કરે જોઈએ. પરસ્પર વિરૂદ્ધ ભિન્ન ક્રિયાઓમાં, પ્રવૃત્તિમાં શું સત્ય સમાયેલું છે? તેને વિચાર કર જોઈએ. સંપૂર્ણ આત્મજ્ઞાની ક્રિયાઓના ભેદમાં મુંઝાતું નથી. અજ્ઞાની ક્રિયાઓને એકાત સાધન For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy