SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૬ શબ્દાર્થ –જેથી સ્વ અને અન્યને બહલાભ થાય અને અલ્પપાપ થાય એવું ધર્મસેવાદિ કર્મ કરવું જોઈએ. જે ધર્મગ કર્મ હોય અને સ્વા લાભપ્રસાધક હોય તથા સ્વાધિકારવશથી પ્રાપ્ત થયું હોય તે નિર્દોષકર્મ હોય વા સદેષકર્મ હોય તો પણ શુદ્ધબુદ્ધિથી કરવું જોઈએ. દેશકાલાદિની અપેક્ષાવાળું જે સંઘની ઉન્નતિકારક કર્મ હોય તથા ધર્મની રક્ષા કરવા સમર્થ કર્મ હેય અને વર્તમાનમાં તથા ભવિષ્યમાં પરિણામે સુંદર ફત્પાદક કર્મ હોય તે ધર્મકર્મ કરવું જોઈએ. શ્રીભરતરાજાએ બનાવેલ આર્યનિગમવેદ અને તીર્થકરેએ ઉપદેશેલ આગમે તેથી જે અવિધી હેય અને લોકોને ધર્મસ્થિરતામાં ઉપયોગી હોય એવું ઉત્સર્ગ અને અપવાદથી ધર્મકર્મ કરવું જોઈએ. વિવેચન –જેથી પિતાને અને અન્ય મનુષ્યને બહુલાભ થાય અને અ૫પાપ થાય એવું ધર્મસેવાદિકર્મ કરવું જોઈએ. બહુપુણ્ય અને અપપાપ, બહુસંવર અને અલ્પઆશ્રવ, બહુનિર્જરા અને અલ્પપાપ, બહુલાભ અને અ૫હાનિ જેમાં હોય એવા કર્મો કરવાની જરૂર છે. નદી ઉતરતાં સાધુને બહુલાભ અને અલ્પપાપ છે. દેરાસરે, પાઠશાલાએ બંધાવતાં અલ્પપાપ અને બહુલાભ છે. દવા કરતાં બહુલાભ અને અલ્પપાપ થાય એવી રીતે વર્તવાની જરૂર છે. જેમાં અલ્પપાપ અને પુણ્યસંવર નિર્જરાને બહલાભ હોય તેવા કર્મો કરવાની જરૂર છે. આ દુનિયામાં કેઈપણ એવી પ્રવૃત્તિ નથી કે જે સર્વથા પ્રકારે કર્મબંધ રહિત હાય. કેઈપણ પ્રવૃત્તિ કરતાં અલ્પકર્મબંધ અને પિતાને તથા અન્યને બહુલાભ થાય એ દષ્ટિએ કર્મ કરવાની જરૂર છે. કેઈપણ કાર્ય કરવામાં અલ્પપાપ અને બહુલાભને નિર્ણય કરવામાં દુનિયાના મનુષ્યના લાખ મતભેદ પડે છે. આત્મજ્ઞાનીઓમાં પણ અલ્પલાભ અને બહુલાભવાળા કાર્યોને નિર્ણય કરવામાં અનેક મતભેદો પડે છે તેમાં આત્મદષ્ટિએ આત્મશ્રદ્ધાપૂર્વક જે કામ કરવાગ્ય લાગે તેને આદર કરે. સર્વ કાર્યો કરવામાં આત્મશ્રદ્ધા, આત્મનિશ્ચય પ્રમાણભૂત છે. આત્મશ્રદ્ધા અને આત્મનિશ્ચય વિના કોઈપણ તકરારી બાબતને નિર્ણય થતો નથી અને તેમજ અમુક કાર્યમાં નિશ્ચયપ્રવૃત્તિ થઈ શકતી નથી. દુનિયાના ભિન્ન ભિન્ન અભિપ્રાય માં પણ જે અલ્પ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy