SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Coc બ્રહ્મજ્ઞાની બનવા માત્રથી કંઈ આત્માને તથા વિશ્વવતિ મનુષ્યને લાભ સમપી શકાતું નથી. પરમાત્માનું અને આત્માનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પશ્ચાત સર્વત્રવ્યાપક પ્રભુમયજીવનની પ્રાપ્તિ કરવી જોઈએ કે જેથી સ્વાર્થીદિ દોને નાશ થાય અને સર્વના શ્રેયમાં આત્માણ કરી શકાય, પ્રભુમય જીવન પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ આત્મજ્ઞાન છે અને સ્વાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથીજ રાગાદિના નાશપૂર્વક કર્મપ્રવૃત્તિ કરી શકાય છે. દુખવિનાશક કર્મ પ્રવૃત્તિને સેવવી જોઈએ. આત્મજ્ઞાનથી સ્વપરને દુઃખપ્રદ અને સુખપ્રદ કર્મોનું સ્વરૂપ અવબોધી શકાય છે. દુઃખ વિનાશક કર્મોમાં અજ્ઞાની એની સહેજે પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાની મનુષ્ય જેજે કર્મો કરે છે તે સુખની બુદ્ધિથી કરે છે છતાં રજોગુણની અને તમે ગુણની વૃત્તિથી તે તે કર્મો દુઓને દેવાવાળાં થાય છે અને આત્મજ્ઞાનીએ, તે તે કામ કરે છે છતાં તે તે કર્મોથી રાગાદિના અભાવે આત્માનન્દમાં મગ્ન રહી શકે છે અને વિશ્વ જીનું તે તે કર્મોથી કલ્યાણ કરી શકે છે. દુઃખવિનાશક કર્મોને કરવાને આત્મજ્ઞાની કમગીઓ સમર્થ થાય છે. વિશ્વને ઉદ્ધાર કરવાને જ્યારે ત્યારે આત્મજ્ઞાનીઓ સમર્થ થાય છે માટે જેજે અવસ્થામાં જે જે કર્મોને આત્મજ્ઞાનીઓ કરે છે તે તે તેમની ફરજ છે એવું માની તેમની આજ્ઞા પ્રમાણે અન્ય મનુષ્યએ પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાન, કર્મજ્ઞાન, પ્રભુજ્ઞાન, વિશ્વજ્ઞાન, પ્રભુમય જીવન જ્ઞાનની પ્રાપ્તિ આદિ સર્વ ગુણેનું કારણ આત્મજ્ઞાન–અર્થાત્ બ્રહ્મજ્ઞાન છે. મૂઢ મૂર્ણોના પ્રભુ બનવાના કરતાં આત્મજ્ઞાનીઓના દાસ બનીને તેઓની આજ્ઞા પ્રમાણે કર્મ કરવાથી આત્માને ઉદ્ધાર થાય છે એવી ખાસ શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. અનેક ધર્મશાસ્ત્રને પરિપૂર્ણ અભ્યાસ કરીને મતમતાંતરરહિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાનનાં અનન્તવર્ટલમાં સર્વ ધર્મનાં સંકુચિત લઘુ વર્તને સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને “આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન પામીને કર્મો કરવાં જોઈએએ ઉપદેશ આપ્યો હતો. શ્રીબુદ્દે પણ આત્મજ્ઞાનપૂર્વક કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ એ વિશ્વવતિમનુષ્યને ઉપદેશ આપે હતે. શ્રી સર્વજ્ઞ વીર પ્રભુએ આત્મજ્ઞાન પૂર્વક કર્મો કરવાથી રાગદ્વેષના નાશપૂર્વક વિતરાગતા, પરમાત્મતા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy