SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે અને તેથી નૈશ્ચયિક નયપ્રસ્થ બની શકાય છે. જે નૈશ્ચયિક નયપ્રસ્થ છે તે શુદ્ધ જ્ઞાની છે અને જે શુદ્ધ જ્ઞાની છે તે સર્વ કર્મોને બાળી ભસ્મીભૂત કરી દે છે તેથી તે આવશ્યક વ્યાવહારિક કાર્યો કરવામાં પશ્ચાત હકતે નથી તેની એવી પ્રવૃત્તિથી તે આત્મપ્રગતિ, ધર્મ પ્રગતિ, સંઘ પ્રગતિ, સાર્વજનિકહિત પ્રગતિ, દેશ પ્રગતિ અને વિશ્વ પ્રગતિને કરી શકે છે અને કૃતકૃત્ય બને છે. જે કર્મો ભેગને સન્મુખ થએલાં હોય છે અર્થાત્ ઉદયમાં આવીને પિતાનું શુભાશુભ ફલ વેદાવવાને ઉઘુક્ત બનેલાં હોય છે એવાં કર્મને પ્રારબ્ધ કર્મ કથવામાં આવે છે. ઉદયમાં આવેલાં આઠે કર્મને પ્રારબ્ધ કર્મ કથવામાં આવે છે. શુભાશુભ કર્મના ઉદયવિપાકને પ્રારબ્ધકર્મ કહેવામાં આવે છે. જે કમેને આત્મા ગ્રહીને સત્તા તરીકે રાખે છે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. જે કર્મો ફલ આપવાને સન્મુખ થયાં નથી પરન્ત આત્માને સાથે લાગી રહેલાં છે તેને ત્રિમ અવબોધવું. જે કર્મબન્ધ તરીકે હાલ કર્મ ગ્રહાતું હોય તેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. વર્તમાન કાલમાં જે જે કાર્યો કરતાં રાગદ્વેષની પરિણતિ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મ ગ્રહાય છે તેને ક્રિયમાણ કર્મ કથવામાં આવે છે, એમ અમદીય વિચારપરિભાષાએ અવધવું. બન્ધમાં આવેલા અને સત્તામાં પડી રહેલાં કર્મોને સંચિત કર્મો તરીકે જાણવા પ્રતિબ્ધ, સ્થિતિ વધે, રાવ અને રાવબ્ધ એ ચાર પ્રકારે કર્મને બંધ અવધ. વધ, ૩૨૩, ૩ળા અને સત્તા એ ચાર પ્રકારે કર્મ અવબોધવું. ગની શુભાશુભ પ્રવૃત્તિથી પ્રકૃતિબન્ધ અને પ્રદેશ બન્ધ થાય છે. તે કર્મો કેટલા કાલ સુધી કેવું ફલ સમર્પશે તેને આધાર કષાય ભાવ કે જેને રાગદ્વેષ કહેવામાં આવે છે તેના ઉપર રહેલો છે. આત્માના રવરૂપજ્ઞાનરૂપ સમ્યકત્વને અને આત્માના મૂળધર્મરૂપ દેશે ચારિત્ર અને સર્વ વિરતિરૂપ ચારિત્રને જે રોધ કરે છે તેને કષાયે. કહેવામાં આવે છે. કષાયે સર્વથા પ્રકારે નષ્ટ થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્મા નિ કષાય ભાવે. માત્ર કાયાદિકગથી કઈ કાર્યની પ્રવૃત્તિને સેવે છે ત્યારે તે પ્રકૃતિબધ અને પ્રદેશબધે માત્ર શાતાદનીય રૂપને બાંધે છે અને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy