SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૦ મૃત્યુથી ડરી જતા નથી. તેઓ શરીર-પ્રાણ છુટી જાય તેની જરા માત્ર પરવા રાખતા નથી; તેનું કારણ એ છે કે તેઓ આત્મા સદા કાયમ રહેવાના છે અને જ્યાં જાય ત્યાં તે કર્તવ્ય કાર્ય કરવાથી આગળ વધવાના છે એવી શ્રદ્ધાથી વર્તનારા હાય છે. આર્ય ક્ષત્રિયા જ્યાં સુધી આ પ્રમાણે આત્માની નિત્યતા માનીને પ્રવર્ત્યા હતા ત્યાં સુધી તેઓ ભીતિ વગેરેને સ્વતામે કરી સર્વ પ્રકારની ઉન્નતિમાં આગળ વધ્યા હતા. બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય-શુક્ર-મુનિઓ ઋષિયા વગેરે પૂર્વે આત્માને નિત્ય માની સ્વાધિકારે કર્તવ્યકાર્યોને કરતા હતા; તેથી તેઓ સર્વ પ્રકારની પ્રગતિ–ઉત્ક્રાન્તિના માર્ગમાં સદા આગળ વધતા હતા અને ક્રોધ-કપટ-લાલચ-તૃષ્ણા-ભય-કુસ પ-વિશ્વાસઘાતદ્રોહ અને ઇર્ષ્યા વગેરે શત્રુઓને પગ તળે કચરી નાખતા હતા. આવી તેઓની દશા જ્યાં સુધી કાયમ રહી ત્યાં સુધી તેઓ સદ્ગુ ણાવડે પ્રગતિના શિખરે વિરાજિત રહ્યા. પરંતુ જ્યારે તે આત્માની વાસ્તવિક નિત્યતાને ભૂલી ગયા અને ભ્રાન્તિમાં સાઇ મેહરાજાના તાબે થઇ દર્ગુણાવડે પ્રવર્તવા લાગ્યા ત્યારથી સર્વની અનુગતિ પડતી થઈ. આ ઉપરથી અવમેધવું કે આત્માની નિત્યતા ભૂલીને ભયવૃત્તિ-મમતાવૃત્તિ આદિ દાસીઓના તાબે મનુષ્ય થયા ત્યારથી તેઓ સ્વકર્તવ્ય કરવામાં પશ્ચાત્ રહેવા લાગ્યા. આત્માની નિત્યતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા મનુષ્યે ક્ષણિક પ્રસંગામાં મુંઝાતા નથી અને સર્વ ભયથી મુક્ત થઇને નિર્ભયપણે આમવીર્ય નુરસાથી કાર્ય કરે છે. આ વિશ્વમાં સર્વત્ર આત્માની નિત્યતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા મનુષ્યા વ્યાવહારિક પ્રગતિમાં અને આત્મપ્રગતિમાં આગળ વધી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની ઉપ ક્ત આત્મસ્વરૂપને નિશ્ચય કરીને આત્માની નિત્યતાના ઉપયાગે રહીને પ્રત્યેક કાર્યને આચરે છે તેથી તે ભય, મમતા, અહંતા, તૃષ્ણા, ઈર્ષ્યા વગેરે દોષોથી મુક્ત થઈ શકે છે અને આધ્યાત્મિકનંતિપૂર્વક વ્યાવહારિક પ્રગતિને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિત્ય અને શરીરથી ભિન્ન અવળેાધ્યા પશ્ચાત્ માહ્ય કાર્ય કરતાં કતૃત્વના સંમેાહ થતા નથી, ખાહ્ય કાર્ય કર્તૃત્વના સંમેાહ થવાથી આત્મા સ્વ For Private And Personal Use Only *
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy