SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૩ હોય તે ન ખાવું એવી પ્રતિજ્ઞા આપી નથી, માટે સાધુઓને રેગી કરવાની પ્રભુને પ્રાર્થના કરી ઉલટું પાપ બાંધે છે. કેઈ સાધુ રેગી નથી તેથી ત્યારે પ્રમુદિત બનીને જમી લેવું જોઈએ. આ પ્રમાણે તેના સ ગુરૂએ બંધ આપીને મૂઢવણિની મૂઢતા દૂર કરી. પ્રસંગે પાર કથિત આ કથા પરથી સાર એ લેવાને છે કે મૂઢદષ્ટિએ પરેપકાર કરતાં પાપ થાય એવી રીતે પરોપકાર ન કર જોઈએ. એકેન્દ્રિય જી કરતાં કીન્દ્રિય અને દ્વીન્દ્રિય કરતાં ત્રીન્દ્રિય અને ત્રીન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિય અને ચતુરિન્દ્રિય કરતાં પંચેન્દ્રિય ઉપર પોપકાર કરતાં અનન્તગુણ પુણ્યાદિફલ પ્રાપ્ત થાય છે. પશુપંખીઓ કરતાં મનુષ્યપર ઉપકાર કરતાં અનન્તગુણ ફલ પિતાને તથા વિશ્વસમાજને થાય છે. અનાર્યો કરતાં આપર ઉપકાર કરતાં અનન્તગુણ વિશેષ ફલ થાય છે. આમાં અજ્ઞાનીઓ કરતાં ઉત્તમ સાત્વિકગુણી જ્ઞાનીઓને ઉપકાર કરતાં અનન્તગુણ વિશેષફલ થાય છે. ગૃહસ્થાશ્રમી આર્યજ્ઞાનીઓ કરતાં ત્યાગી કર્મયોગી જ્ઞાનીઓ પર ઉપકાર કરતાં અનતગુણ વિશેષફલ ખરેખર પિતાને તથા સમાજ અને વિશ્વને થાય છે. દેશને ધર્મને ઉદ્ધાર કરનાર જ્ઞાની મનુષ્ય સદા સંરક્ષ્ય છે. અતએ દેશદ્ધારક, ધર્ણોદ્ધારક જ્ઞાનિમહાત્માઓ પર ઉપકાર કરતાં અનેક જીના ભેગ આપવા પડે અને હિંસાદિ દોષ લાગે તોપણ અનન્તગુણ ફલ થાય. છે. જ્ઞાન-વિદ્યાકેળવણી દ્વારા વિધપર પરોપકાર કરતાં અનન્તગુણ ફલ થાય છે. જે જે મહાપુરૂ, મહાત્માએ આ વિશ્વ પર દ્રવ્ય અને ભાવથી વિશેષ ઉપકાર કરનારા હોય છે તેઓની તે પ્રમાણે ભક્તિસંરક્ષા કરવામાં અપષ અને અનન્તગુણ ફલ વિશેષ થાય છે. સર્વ જીવે એક કુટુંબસમાન છે તે પણ તેઓનો પ્રાણાદિ અને ઉપકાર કર્તત્વની દૃષ્ટિએ તેઓનું તે દષ્ટિના વિવેકે મહત્ત્વ સંલક્ષી ઉપર પ્રમાણે કથન કર્યું છે, અન્યથા લઘુ અગર મહાજનપર શુભાશુભ પરિણામ દષ્ટિએ પરોપકાર કરતાં શુભાશુભફલ થાય છે તેથી અનેક દૃષ્ટિની સાપેક્ષાએ ઉપરને વિવેક ધ્યાનમાં રાખી અનેકાન્તદષ્ટિએ ઉત્સર્ગ અને અપવાદથી પ્રવૃત્તિ કરવી. જે જે પ્રસંગે સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી જે જે ઉપર જે જે ઉપકાર કરે એગ્ય હોય તે તે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy