SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ આત્મા પિતાની વ્યાવહારિક તથા નૈક્ષયિક પ્રગતિ કરી શકે છે તેથી અ ને જે પ્રતિ ઉપગ્રહ સિદ્ધ થાય છે. અનાદિકાલથી અજીવ પદાર્થો સ્વસ્વભાવ પ્રમાણે જીવદ્રને ઉપગ્રહ કરે છે. પ્રત્યેક વસ્તુ પિતાની ફરજ પિતાના સ્વભાવધર્માનુસારે બજાવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાલ પિતાની જે પ્રવૃત્તિ બજાવે છે તેમાં જીવ દ્રવ્ય નિમિત્તે કારણે ઉપગ્રહ કરનાર તરીકે સિદ્ધ થાય છે. પરસ્પર દ્રવ્યુંમાં રહેલી ક્રિયાઓ વડે દ્રવ્ય પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. દરેક દ્રવ્ય સ્વચ્છ સ્વભાવ પ્રમાણે પ્રવર્તે છે એજ તેની પ્રવૃત્તિ અથવા ક્રિયારૂપ કર્મવેગ જાણો અને તે વસ્તુ ધર્મની પ્રવૃત્તિથી જીવે તથા અજી પરસ્પર એક બીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. જીવોના પ્રતિ સ્વસ્વ ધર્મક્રિયારૂપ કર્મયેગવડે અ ને ઉપગ્રહ છે અને જેની સ્વરવ ધર્મપ્રવૃત્તિરૂપ કર્મવેગવડે જીવેને પરસ્પર ઉપગ્રહ છે. એ તે અજીવેના ઉપગ્રહદ્વારા સ્વયમેવ અનુભવતઃ સિદ્ધ થાય છે. એક જીવ પોતે અન્ય જીવ ઉપર ઉપકાર કરે તેમાં વચ્ચે પુદગલસ્કછે તે અવશ્ય ઉપકાર કરવામાં નિમિત્ત કારણભૂત હેય ને હોય છે જ. સમવસરણમાં બેસીને કેવલી મહારાજા તીર્થંકર જ્યારે બારપર્ષદા આગલ દેશના દે છે ત્યારે પર્ષદાના મનુષ્ય તીર્થકરના હદયમાં રહેલા કેવલજ્ઞાનને દેખી શકતા નથી, તેમજ શ્રી તીર્થકર ભગવાનનું કેવલજ્ઞાન સાક્ષાત્ આવીને મનુષ્યના હૃદયને અસર કરી શકતું નથી, પરંતુ તીર્થંકર પાતે ભાષા વર્ગણ દ્વારા શબ્દો કાઢીને દેશના દે છે અને તેથી તે શબ્દો ખરેખર મનુષ્યના કર્ણમાં પ્રવેશી હૃદયમાં જ્ઞાન પ્રગટાવે છે તેથી ભવ્ય મનુષ્ય બોધ પામી સર્વવિરતિચારિત્ર, દેશવિરતિચારિત્ર, વગેરે ગ્રહણ કરે છે. તીર્થંકર મહારાજાએ ગ્રહણ કરીને મૂકેલાં ભાષાવર્ગણાનાં પુગલે તે જડ છે. તીર્થકરનામકર્મના ઔદયિકભાવે ભાષાવર્ગણાનાં પગલે ગ્રહણ કરીને મૂકાય છે તેમાં આત્માને ગુણ નથી. તીર્થંકર ભગવાને ત્યાગેલાં જડ એવાં ભાષાવર્ગણાનાં પગલે દ્વારા મનુષ્ય આત્માદિતોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેથી તીર્થકર ભગવાનને દયિકભાવ તે ભવ્ય મનુષ્યને તે અમૃતરૂપે અનન્તગુણ હિતકર્તા તરીકે પરિણમે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy