SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર વ્યાપાર કરવા માટે વિચાર કર્યો. ત્રણ મિત્રે પરસ્પર એક બીજાની સાથે એક દઢ નિશ્ચય કર્યો અને એક પર્વતની ખીણમાં આવ્યા ત્યાં તેઓએ એક લેવાની ખાણ દેખી તેમાંથી ત્રણ મિત્રે ત્રણ ગાંસડીઓ. બાંધી લીધી. આગળ જતાં એક તાંબાની ખાણ દીઠી ત્યારે બે મિત્રોએ લેતું મૂકીને તાંબાની ગાંસડીઓ બાંધી અને એક કદાગ્રહી મિત્રે તે વિચાર કર્યો કે મોટા પુરૂષે ગ્રહણ કરેલાને છોડતા નથી. જે ગ્રહ્યું તે રહ્યું. મૂર્ખ મનુષ્ય ગ્રહણ કરેલાને ત્યાગ કરે છે એ વિચાર કરીને તેણે લેઢાને ત્યાગ કર્યો નહિ. ત્રણ મિત્રો આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તેઓએ એક રૂપાની ખાણ દીઠી તેમાંથી પેલા બે મિત્રોએ તાંબુ ત્યજીને રૂડું બાંધી લીધું પરંતુ પેલા આગ્રહી મનુષ્યને તે મિત્રોએ અત્યંત સમજાવ્યે તે પણ તેણે લેહને ત્યાગ કર્યો નહિ. આગળ ચાલતાં એક સુવર્ણની ખાણ આવી. તેમાંથી બે મિત્રએ રૂપાને ત્યાગ કરી સુવર્ણ બાંધી લીધું, પણ આગ્રહી મનુષ્ય તે લેઢાને ત્યાગ કર્યો નહિ. આગળ જતાં એક રત્નની ખાણ આવી. ત્યારે પિલા બે મિત્રોએ રત્નની ગાંસડીઓ બાંધી લીધી અને પિલા લેહવણિકને બહુ સમજાવ્યું પરંતુ તે એકને બે થેયે નહિ. ત્રણ મિત્રો ઘેર આવ્યા. પિલા બે મિત્રોએ મેટી હવેલીએ બંધાવી અને ધનવંત બન્યા. પેલે લેહવણિક તે લેઢાને વેચી થોડા પૈસા કમાયે અને દુખી રહે. તેની સ્ત્રીએ તેની એવી પ્રવૃત્તિથી તેને ઘર બહાર કાઢી મૂક્યો અને તે મહાદુઃખી બની મિત્રોની પાસે ગયે. તેઓએ તેને સુખી કર્યો. લેહકારવણિકના દષ્ટાન્તથી સમજવાનું કે વર્તમાનમાં જે જે સુખ સાધનના ઉપાયે હોય તેને સ્વીકાર કરે જોઈએ, પણ કદાગ્રહ કરી સુખપ્રદ કાર્યપ્રવૃત્તિને તિરસ્કાર કરે ન જોઈએ. વર્તમાનકાલમાં જે જે શર્મપ્રદ પ્રવૃત્તિ દેખાતી હોય તેને આદરવામાં મૂઢતા ન ધારવી જોઈએ. ભૂતકાળમાં પોતાની ગમે તે સ્થિતિ હોય વા ભૂતકાલમાં દેશની, સમાજની ગમે તેવી સ્થિતિ હોય પરંતુ વર્તમાનમાં યદિ સુખપ્રવૃત્તિને ન સેવવામાં આવતી હોય અને લેહ વણિની પેઠે કૃત્યાકૃત્ય વિવેક વિના હઠવાદ કરવામાં આવતો હોય તે લાહવણિકની પેઠે પશ્ચાત્તાપપાત્ર બની શકાય છે. દેશની, સમા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy