SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને આત્મત્કાન્તિ કર્તવ્યરૂપ સ્વધર્મ કરવાને ઉત્સાહથી ઉઠયા. પૂર્વકાલમાં અનેક મુનિએ જાગ્રત થઈ આત્મન્નિતિનાં કાર્યો કર્યા હતાં. મોહનિદ્રા ગયા વિના જ્ઞાનચક્ષુ ઉઘડતી નથી અને જ્ઞાનચક્ષુ વિકસ્યા. વિને સ્વપરનું પરિપૂર્ણ જ્ઞાન થતું નથી. અનેક ઋષિએ પૂર્વે મેહનિદ્રાને ત્યાગ કરી આત્મબોધથી સ્વાત્મકર્તવ્ય કાર્યોને કયાં હતાં. મેહનિદ્રા કન્યા વિના જીવતાં મનુષ્ય પણ મડદા સમાન છે. તેઓની આત્મશક્તિને વિકાસ થતું નથી. આત્માને જાગ્ર કર્યા વિના શરીરથી વિશેષ કંઈ કર્તવ્યકાર્ય થઈ શકતું નથી. આત્મજ્ઞાન વિનાનાં મનુષ્ય કે જે શરીરમાં રહેલે આત્મા દેવ સમાન છે તેને ઓળખી શકતાં નથી અને અન્ય શરીરમાં રહેલા આત્માઓને દેવે સમાન ઓળખી શકતા નથી, તેથી તેઓની તથા સ્વાત્માની મહત્તા અવબેધ્યા વિના શુક્રવાસનાઓ વડે જગત્ જીના પ્રાણને નાશ કરી પિતાની સ્વાર્થવૃત્તિ તૃપ્ત કરવા ધારે છે તેઓ મૃતકના કરતાં વિશેષ શું કરી શકે તેમ છે? પિતાના આત્મા સમાન અન્યાત્માઓને માની તેઓને સન્માન આપ્યા સિવાય અને તેઓને આત્મબુદ્ધિથી આત્મપણે સમજ્યા વિના આત્મકર્તવ્યની ગંધ પણ અનુભવગય થઈ શકવાની નથી. જે જે આ જગતમાં શ્રેષ્ટ મહાપૂરૂ થાય છે તેઓ હિમાલય, આબુજી, ગિરનાર, કનેરી જેવા રમણીય શાન્ત પ્રદેશમાં ગાભ્યાસ કરી મેહનિદ્રાને ત્યાગ કરી આત્માની જાગૃતિ કરે છે અને આત્મચારિત્રની પરિપકવતા કરી સર્વ આત્માઓની વિશુદ્ધિ કરવા પશ્ચાત તેઓ મનુષ્યની પાસે આવી તેઓને જાગ્રત્ કરી સ્વકર્તવ્યમાં દેરે છે અને પિતે નિર્મોહ રહી સ્વકર્તવ્ય કરી શકે છે. સ્વામી વિવેકાનન્દમાં અને સ્વામી રામતીર્થમાં કર્તવ્ય કર્મો કરવાની શક્તિ આવી તેનું કારણ એ છે કે તેઓએ હિમાલય પર્વતનાં શિખરેમાં એકાન્તવાસ કરી સ્વાત્મશક્તિને વિકાસી હતી. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ગિરનારની ગુફામાં કેટલોક વખત રહી સ્વાત્મશક્તિને ખીલવી હતી અને મેહનિદ્રાને નાશ કર્યો હતે. મહાપ્રાણાયામના કારક શ્રીભદ્રબાહુ સ્વામીએ એને વિપુલિંગ પાર્શ્વનાથની પાસે રહી અને એકાંત સ્થાનમાં રહી મોહનિદ્રા હઠાવવાપૂર્વક સ્વાત્મશક્તિને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy