SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ વતા થઈ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાશે. સંકુચિતદષ્ટિએ, થવાનું હશે તે થશે એમ માની જેઓ ઉદ્યમના શત્રુ બનેલા છે તેઓ અને જેઓ સ્વકર્તવ્ય ધર્મથી ભ્રષ્ટ થએલા છે. તેઓને કેટીમુખવાળે વિનિપાત થાય છે અને તેથી તેઓ પતિત બને છે. અએવ ભૂતકાલ કર્તવ્ય કર્મો જે જે કર્યો હોય તેઓની યાદી કરીને વર્તમાન કાળમાં કર્તવ્યકાર્યો કરવામાં અપ્રમત્ત બનવું જોઈએ. ભૂતકાળમાં જે જે કાર્યો કર્યા હોય તેઓનું સાપેક્ષપણે સ્મરણ કરે અને ભૂતકાળમાં જેજે કાર્યો કર્યા તેઓના પ્રવર્તક વિચારેને વિવેક કરવાની જરૂર છે એમ માની જે જે અશુભ અવનતિકારક વિચારે હેય તેઓને વધાવી લે અને વર્તમાનમાં આત્માવડે શું શું કરું છું તેને વિચાર કરે. ભૂતકાળના વિચાર અને આચાર કરતાં વર્તમાનકાલીન પ્રગતિ પ્રતિ વિશેષ લક્ષ્ય આપવાની જરૂર છે. ભજનસંગ્રહ ભાગમાં વર્તમાનકાસ્ટ સુધારો નામનું પદ્ય વાંચીને વર્તમાનકાલીન વિચારે અને આચારેને સુધારવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. વર્તમાનકાલ સુધારે નામનું પદ્ય વાંચવાથી વર્તમાનમાં દીનને જીન બની શકવાને ઉત્સાહ પ્રકટ થાય છે. વર્તમાનકાલની અસર ભવિષ્યમાં થાય છે. હાલ વર્તમાનમાં જેવા વિચારે કરાય છે તેવું પિતાનું ભવિષ્યનું રૂપ છે એમ ખાસ ધ્યાનમાં રાખીને વર્તમાનમાં વિચારો અને સદાચારેવડેશ્વકર્તબેવડે આત્મકર્તવ્ય કાર્યની પ્રગતિ કરવી જોઈએ. ભૂતકાલીન કર્મોના ફલ તરીકે વર્તમાનમાં પિતાનું રૂપ છે અને વર્તમાન વિચારે અને આચારેનું ફલ તે ભવિષ્યમાં સ્વરૂપ દેખાશે. અતએવ વર્તમાનમાં હું શું શું કરું છું? વર્તમાન કર્તવ્ય કાર્યોમાં કઈ રીતે સુધારે વધારે કરવાની જરૂર છે, વર્તમાનમાં સ્વવ્યક્તિને વિશ્વરૂપ સમષ્ટિ સાથે કે સંબંધ છે અને કેવી રીતે વર્તવાની જરૂર છે તેને પરિપૂર્ણ ખ્યાલ કરવાની જરૂર છે. જે વર્તમાનમાં આત્માની શક્તિ ખીલે એવા પ્રયત્ન-કર્તવ્ય કર્મરૂપ ધર્મ સેવવામાં આવે તે પશ્ચાત્ ભવિષ્ય કેવું રચવું એ તે પિતાના હાથમાં આવેલું સમજવું. વર્તમાનમાં, સૂર્યોદયથી તે સૂર્યાસ્ત પર્યન્ત કયા ક્યા વિચારે મનમાં થાય છે અને કયાં કયાં કર્તવ્ય કાર્યો થાય છે, મનમાં કયાં કયાં કર્તવ્ય કર્મો કરવાની For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy