SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૩ સેવાચંદ્ર હતું, તે મહાત્માની સેવા કરીને વિદ્યાભ્યાસ કરતો હતે. મહાત્માની ખાવાની પીવાની સેવા કરવામાં સેવાચન્દ્ર સદા તત્પર રહેતા હતા. મહાત્માનું સ્થાન સાફ કરવું, તેમના શયનની વ્યવસ્થા રાખવી, તેમને જે જે વસ્તુઓને ખપ હોય તે તે વસ્તુઓને આજ્ઞાપૂર્વક લાવી આપવી, મહાત્મા જે જે કાર્યો બતાવે તે તથાસ્તુ કથી આજ્ઞા શીર્ષપર ચઢાવી કરવા ઈત્યાદિ અનેક પ્રકારે વિનય બહુમાનથી તે મહાત્માની સેવામાં સદા પ્રવૃત્ત રહેતું હતું. એક વખત મહાત્માએ સ્વ આયુ સંબંધી ઉપગ મૂક તે સ્વાયુષ્ય અલ્પ જણાયું. અહંચંદ્ર સર્વ વિદ્યાઓને અભ્યાસ કરી લીધું હતું, પરંતુ સેવાચંદ્ર તે સેવામાં સદા પરમપ્રેમપૂર્વક પ્રવૃત્ત રહેવાથી તેણે સર્વ વિદ્યાઓને અભ્યાસ કર્યો નહોતે. ગુરૂએ સેવાચંદ્રને પાસે બેલાવીને કહ્યું -ન્હારે વિદ્યાભ્યાસ બહુ બાકી છે અને અહંચકને વિદ્યાભ્યાસ પૂર્ણ થયેલ છે, તેથી હારા મનમાં કંઈ ખેદ પ્રગટતે નથી? સેવાચક્રે કહ્યું –ગુરૂજી! આપની સેવા એજ વાસ્તવિક મારું કર્તવ્ય છે. આપની સેવામાં પ્રવૃત્ત થવાથી મને આનન્દ રહે છે, અને જે વિદ્યાભ્યાસ થયે તેટલામાં સંતેષ રહે છે. મહાત્માએ સેવાચંદ્રને ઉત્તર શ્રવણ કરી મનમાં વિચાર કર્યો અને સેવાચંદ્રને સર્વ વિદ્યાઓ આપવાને હૃદયથી નિશ્ચય કર્યો. આત્મશક્તિ વડે મહાત્માએ સેવાચંદ્રના શીર્ષપર હસ્ત મૂકી સર્વ વિદ્યાઓ પ્રાપ્ત થવાની આશીષ આપી. સેવાચંદ્રના હૃદયમાં મહાત્માની કૃપાથી સર્વ વિદ્યાએ પુરવા લાગી અને અહંચંદ્રના કરતાં અનન્તગુણી શક્તિધારક બને. અહચંદ્રની વિદ્યાએ પૂર્ણિમાના ચંદ્રની પેઠે ધીમે ધીમે ક્ષય થવા પામી. એક સમયે અહંચક્રે ગુરૂશ્રીને પૂછ્યું કે મહને વિદ્યાઓ હૃદયમાં પરિપૂર્ણ કુરતી નથી અને ક્ષય પામતી જાય છે. મહાત્માએ પ્રત્યુત્તર સમ કે સેવા વિના વિદ્યાદિગુણોને પ્રકાશ અને સ્થિરતા થતી નથી. સેવાધર્મથી ઉચ્ચપદાહ થયા પશ્ચાત્ કદાપિ અધઃપાત થતો નથી. સેવાધર્મથી જે કઈ મળે છે તે અન્ય કશાથી મળતું નથી. માટે હે શિષ્ય ! તું સેવાધર્મમાં પ્રવૃત્ત થા, અને સેવાધર્મને અંગીકાર કરી આત્માની ઉન્નતિ કર. આમેન્નતિની પ્રાપ્તિ કરાવી આપનાર સેવાધર્મની જેટલી પ્રશંસા કરીએ તેટલી For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy