SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૧ પ્રમાણે સેવાના માર્ગોમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહસ્થાએ, માતૃપિતૃસેવા, વિદ્યાચાર્યસેવા, દેવ ગુરૂ અને ધર્મની સેવા, ગુરૂજનની સેવા વગેરે ગૃહસ્થયેાગ્ય સેવા માટે ચાચ્ય જે જે કર્મો હોય તેને આદરવાં જોઇએ. શિવાજીએ માતૃપિતૃસેવાર્થે આત્મભાગ આપવામાં યથાચેાવ્યપ્રવૃત્તિ કરી હતી; તેથી તે માતાની આશિથી હિન્દુઓના ઉદ્ધારક બન્યા, અને ‘શિવાજી ન હેાત તે સુન્નત હેાત સબકી’ વગેરે સ્તુતિયાષ્ય થયા. સેવક બનવાથી આત્માની શક્તિયા ખરેખર સ્વામી બની શકાય એવા માર્ગે પરિણમી શકે છે; અને તેથી અન્તે સ્વામીની પદવી પ્રાપ્ત થઇ શકે છે. જેના જેવા બનવું હોય તેની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિને આદરવી એ સેવકનું લક્ષણ છે, અને એવી સેવકપ્રવૃત્તિ આદર્યા વિના કેન્દ્રભૂત સ્વામીપદની પ્રાપ્તિ ન થાય એ અનવાયાગ્ય છે; અતએવ પ્રત્યેક મનુષ્યે પ્રથમ સેવક બનવું જોઈએ. અર્થાત્ સેવાયેગ–પ્રવૃત્તિયેાગને સેવી સ્વકાર્યની સિદ્ધિ કરવી જોઇએ. સેવા એજ સ્વર્ગ અને મેાક્ષનુ દ્વાર છે એમ નિશ્ચયતઃ અવબધી પાઠશાલા બંધાવવી; પઠનપાઠન કરાવવું. પ્રત્યેક મનુષ્યને ઉન્નતિના જે જે માર્ગો હોય તે પ્રતિ લેઇ જવા અને તેના દુઃખના માર્ગોને ટાળવા એજ સેવાધર્મ છે. તેમાં પ્રવૃત્ત થવાથી વિશ્વસેવક મની શકાય છે. જે મનુષ્ય સેવક બનીને જ્ઞાનમાર્ગ ગ્રહણ કરી ઉધ્વારાહ કરતાં કદાપિ પશ્ચાત્ પડી જાય છે, તે તેને પુનઃ ઉર્ધ્વ ચઢાવવાને તેની ચારે બાજુએ હજારા સેવકે તૈયારી કરે છે; કારણ કે તે સેવા કરવાપૂર્વક ઉર્ધ્વ આરહ્યા હતા. જે મનુષ્ય સ્વાર્થાન્ય અનીને અન્યાની સેવામાં બેદરકાર બનીને પરમાત્મપદ પ્રાપ્તિ માટે અથવા વિશ્વમાં સાંસારિક ઉચ્ચપદવીપર ચઢવા પ્રયત્ન કરે છે, પરન્તુ જો તે ત્યાંથી ચ્યુત થાય છે અર્થાત્ ભ્રષ્ટ થાય છે તા; તાડપરથી પડેલા મનુષ્યના જેવી તેની દશા થાય છે, અને તેને કાઇ પડતાં ઝીલી શકવા સેવક હાજર રહેતા નથી. અતએવ સાંસારિક વા ધામિક આન્તરિક ઉચ્ચ પદવીઓ પર સર્વ વિશ્વના હિતસાધક સેવક બની સર્વજીવાનુ હિત થાય એવી સેવા પ્રવૃત્તિને સેવતાં સેવતાં આગળ ચઢવું જોઇએ કે જેથી કદાપિ પતિત દશા થાય તેની પૂર્વે હજારો સેવક પેાતાનું સંરક્ષણ કરવા અને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy