SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિથી તે પ્રજાનું ચિત્ત સ્વપ્રતિ આકર્ષી શકયે હતું અને ગુર્જર દેશની સીમા વધારી શક્યો હતે. ભીમે વિમલમંત્રીની સલાહપૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી, તે શાંતિથી રાજ્ય કરી શકે. કુમારપાલે પણ જેનવણિક પ્રધાનની સમ્મતિપૂર્વક રાજ્ય પ્રવર્તાવ્યું, તેથી તે ગુર્જર દેશની પ્રજાનું ચિત્ત પિતાના પ્રતિ આકર્ષી શક્યો. વસ્તુપાલ અને તેજપાલની સલાહપૂર્વક વરધવલે રાજ્ય ચલાવ્યું તેથી તે સ્વરાજ્યનું રક્ષણ કરી શકે; પરંતુ પાછલથી તેના પુત્ર વસ્તુપાલાદિની અવજ્ઞા કરી તેથી તેના વંશજોનું ગુજરાતમાં રાજ્ય રહ્યું નહિ. પ્રતાપરાણાને ભામાશાહે અનેક પ્રકારની રાજ્યપ્રવર્તક સમ્મતિ આપી હતી અને પુષ્કલ ધનની સાહાસ્ય આપી હતી તેથી તે પુનઃ સ્વરાજ્ય સ્થાપી શક્યા. રાનડે, ગેખલે વગેરે પુરૂષની સલાહ રાજ્યકાર્યોમાં કેટલી બધી ઉપયેગી થઈ પડી છે તે સમસ્ત ભારત અવધે છે. શિવાજીને તેના ગુરૂ રામદાસ તરફથી રાજ્યતંત્ર ચલાવવાની ઉત્તમ સમ્મતિ મળતી હતી, તેથી શિવાજીના પર દક્ષિણુઓને રાગ વધે અને રાજ્ય સ્થાપન સંબધી સર્વ પ્રકારની તેઓનાથી સાહાચ્ય મળી શકી. પુરૂષની સ સ્મૃતિ લઈને આર્યાવર્તના પૂર્વ રાજાઓ રાજ્યતંત્ર ચલાવતા હતા, તેથી તેઓની રાજ્યવ્યવસ્થા સારી રીતે રહી શકતી હતી અને તેઓ પ્રજાને પૂર્ણપ્રેમ મેળવવા ભાગ્યશાળી બનતા હતા. પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવે એજ રાજ્યપ્રવર્તકેનું મુખ્ય કર્તવ્ય છે. અકબર વગેરે બે ત્રણ સારા બાદશાહે સિવાય અન્ય બાદશાહએ હિન્દુઓને પ્રેમ જીતવા પ્રયત્ન કર્યો નહિ, તેથી અન્ને દિલ્હીની ગાદીની ચિરંસ્થાયિતા તેઓના વંશને માટે રહી નહિ. બ્રિટીશ સરકારે પ્રજાને પ્રેમ આકર્ષાય એવા ઉપાયે લે છે અને કોઈના ધર્મમાં આડી આવતી નથી, તેથી તેના રાજ્યને હિન્દુઓ રહાય છે. બ્રિટીશ સરકાર પ્રજાના આગેવાન સત્પરૂ ની સલાહ લેઈને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. પાર્લામેન્ટ, કેજરવેટીવ અને લીબરલ વગેરે પક્ષોની સલાહ લેવી એ સત્પરૂષેની સમ્મતિ અવબોધવી. પાંડે તરફથી દુર્યોધનની પાસે કૃષ્ણ ગયા હતા અને કૃષ્ણ પાંડેની સાથે યુદ્ધ કરવામાં આર્યાવર્તની પડતી છે, લાખો મનુષેના નાશપૂર્વક તમારે નાશ છે અને તેથી સલાહશાંતિથી તમારે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy