SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૯ છે એમ અવબોધવું અને અશુભ શુભમમત્વાલંભાવના રહિત થઈને જે સ્વાધિકારે પ્રારબ્ધાદિથી કર્તવ્ય કાર્યો કરે છે તે નિર્ગુણ જીવન્મુક્ત મહાત્મા વા ઈશ્વર થયું છે એમ અવધવું. એવા સગુણનિર્ગુણ છવંત ઈશ્વરેની પૂજા સેવા ભક્તિની પ્રાપ્તિ એજ ખરેખરી મનુષ્યભવની સફલતા અવબોધવી. અનન્તવર્તુલરૂપ શુભમમત્વ અને અહંભાવને કરીને પશ્ચાત્ તેઓને અનન્ત શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન કરવા અને પશ્ચાત્ અહેમમત્વભાવથી રહિત થઈ નિરહંભાવથી સર્વ જગતને પિતાના રૂપ સ્યાદ્વાદષ્ટિથી અનન્ત અતિધર્મ અને અનન્ત નાસ્તિધર્મની અપેક્ષાએ માનીને આત્મામાં, પિંડમાં જગત્ અર્થાત્ બ્રહ્માંડને અનુભવી સર્વત્ર સર્વ બાબતમાં આત્માને નિઃસંગનિર્લેપ માની સ્વાધિકાર કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું. સર્વત્ર નિરહંભાવથી વર્તવાની આત્મદશા પ્રગટ થાય છે ત્યારે સ્વયમેવ શુભમમત્વાલંભાવને નાશ થાય છે અને એવી દશા યાવત્ ન આવે તાવત્ તે શુભાહંભાવમાં રહીને આત્માની પરમાત્મતા થાય એવા ગુણસ્થાનક સોપાનપર આત્માને ચઢાવીને છેવટે પરમાત્મદશાના ઉચ્ચ શિખર પર આહાવી વળાવાની ફરજ પૂરી કરીને શુભહંભાવ સ્વયમેવ ટળી જાય છે. આવી શુભારંભાવનાનું સ્વરૂપ સમજવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને જાણુને જે મનુષ્ય કર્તવ્ય કાર્યો પ્રવર્તે છે તેઓ આત્માની ઉચ્ચદશાથી ગમે તેવા સંગોમાં પતિત થતા નથી અને તેઓ અનુક્રમે અશુભમમત્વાહંભાવનો ત્યાગ કરી શુભારંમમત્વને આદરી પશ્ચાત્ સર્વથા શુભાશુભાહમમત્વભાવથી મુક્ત થઈ જીવન્મુક્ત બની પ્રારબ્ધકર્મ ચુકવવાને શેષ કર્તવ્યકર્મોને કરે છે. તે મનુષ્ય ! ઉપર પ્રમાણે અહંમમત્વ સંસ્કાર અને અહંમમત્વવૃત્તિને અવબોધી અશુભમાંથી શુભમાં આવી પશ્ચાત્ આત્માના અનન્ય જ્ઞાનવર્તુળમાં પ્રવિષ્ટ થઈ સંકુચિત રાગદ્વેષકારક લઘુવતુંલોને ત્યજી અનન્ત વર્તુળમય બની સ્વાધિકારે કર્તવ્યકાર્યમાં સ્થિર થા. અવતરણ–સુખદુઃખપ્રદ સંગેને વિચારી વિઘટિ સહવાપૂર્વક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને કથવામાં આવે છે. शर्मदुःखप्रदान सर्वान, संयोगान् तान् विचार्य च । For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy